મોદી 14 ડિસેમ્બરે કચ્છમાં ખાતમૂહુર્ત કરવાના છે એ 800 કરોડનો પ્લાન્ટ શાનો છે ? કેટલાં લાખ લોકોને તેનાથી થશે ફાયદો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Dec 2020 11:01 AM (IST)
દરિયાના ખારા પાણીને મીઠા જળમાં રૂપાંતરિત કરતો 100 એમ.એલ.ડીની ક્ષમતા સાથેનો પ્રોજેક્ટ રાજ્યમાં સૌથી મોટો છે.
અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ડિસેમ્બરે કચ્છની મુલાકાતે આવવાના છે. મોદી તેમની યાત્રા દરમિયાન મોદી માંડવીના ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. ત્રણ વર્ષમાં આઠસો કરોડના ખર્ચે સમુદ્રનું ખારૂં પાણી મીઠુ કરવાના આ પ્રોજેક્ટથી 8 લાખ લોકોને ફાયદો મળશે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત મોદીના હસ્તે થશે અને તેની તૈયારીઓ શરૂ થઈ છે. આ પ્લાન્ટથી માંડવી-મુન્દ્રા તાલુકાના આઠ લોકોને લાભ મળશે. માંડવીના તાલુકાના ગુંદયાળી પાસેના ઘ્રબુડીના દરિયા કિનારે 60 એકર વિસ્તારમાં આઠસો કરોડના ખર્ચે આ ડિસેલિનેશન પ્લાન્ટ બનશે પછી નર્મદાનાપાણી પર બે તાલુકાનાં લોકોએ અવલંબિત નહી રહેવું પડે. પ્લાન્ટ શરૂ થયા બાદ નવા પંમ્પિંગ સ્ટેશનમાંથી બલ્ક પાઈપ લાઈનને પાણી પુરવઠાની ગ્રીડ સાથે જોડી દેવાશે. પાણી વહેતું થશે ત્યારે ગ્રામ્ય વિસ્તારો તેમજ કેટલાક ઔઘોગિક એકમો લાભન્વિત થશે. આ પ્લાન્ટ ઈઝરાયલી ટેકનોલોજી પર આધારિત છે. દરિયાના ખારા પાણીને મીઠા જળમાં રૂપાંતરિત કરતો 100 એમ.એલ.ડીની ક્ષમતા સાથેનો પ્રોજેક્ટ રાજ્યમાં સૌથી મોટો છે. આ પ્લાન્ટ ઉપરાંત દ્વારકા પાસે ગાંઘવી ગામમાં 70 એમએલડી, ભાવનગરના ઘોઘાની પાસે નિર્માણ પામનારા પ્લાન્ટની ક્ષમતા 70 એમએલડી અને સોમનાથના સુત્રાપાડા પાસેના ગામમાં 30 એમએલડી ક્ષમતા સાથેનો પ્લાન્ટ સ્થાપિત કરાશે. પગારદારો માટે મોટી જાહેરાત, જાણો હવે કંપનીઓએ કઈ રીતે કાપવો પડશે ટેક્સ ? કેટલા પગાર પર કપાશે કેટલો TDS ?