ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 માર્ચે એમ બે દિવસના ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ અમદાવાદ, વડોદરા, કેવડિયા કોલોનીના ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ અને જૂનાગઢ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન ગુજરાત સરકારની દિવસે ખેડૂતોને વીજળી આપવાની યોજના તથા અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દરેક કાર્યક્રમ માટે સંબંધિત જિલ્લાના કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે. બે દિવસના આ પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને રાત્રિના સમયે રાજ્યના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત પણ કરશે.

આ ઉપરાંત વડોદરામાં કેન્દ્ર સરકારની કન્સ્ટ્રક્શન મજૂરો તથા અન્ય મજૂરો ઉપરાંત આવાસ યોજનાને લગતાં કાર્યક્રમોનું લોંચિંગ પણ વડાપ્રધાનના હાથે કરવામાં આવશે. ત્યારબાદ તેઓ કેવડિયા કોલોની ખાતે આવેલાં ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’માં ઊભાં કરાયેલાં નવા પ્રોજેક્ટ્સની પણ મુલાકાત લેશે.

UN મહેતા હોસ્પિ.નું ઉદઘાટન કરશે

- જૂનાગઢમાં ખેડૂતો માટેની દીનકર યોજનાનું લોકાર્પણ.
- વડોદરા ખાતે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટનો કાર્યક્રમ.
- અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન.
- સ્ટેચ્યૂ ઓફ યુનિટીના તૈયાર થયેલા પ્રોજેક્ટની મુલાકાત.