અંબાજી મેળામાં પોલીસ કર્મીનું ફરજ પર મોત
abpasmita.in | 11 Sep 2016 05:04 PM (IST)
બનાસકાંઠાઃ પાલનપુરમાં અંબાજીના મેળામાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું મોત થયું છે. અંબાજીના બાદરવી પુનમના મેળામા લાખોની મેદની ઉમટી પડી છે. ત્યારે તેની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં દાંતા બસસ્ટેશન પર ફરજ બજાવતા ASI કરશનભાઇ પરમારનું ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા પાલનપુર હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા્ં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.