રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભરૂચની અદ્યતન સેવાશ્રમ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું
abpasmita.in | 23 Oct 2016 07:24 AM (IST)
ભરૂચ:રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે ભરૂચની અદ્યતન સેવાશ્રમ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત જ્યારે ત્રણ પ્રતિમાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના આગમનના પગલે બંને શહેરોમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 1200 કરતાં વધારે પોલીસ અને સુરક્ષા એજન્સીના જવાનો રાષ્ટ્રપતિની સલામતી માટે તૈનાત કરવામાં આવ્યા હતાં. રાષ્ટ્રપતિના કાફલામાં 26 વાહનોનો સમાવેશ કરાયો હતો.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે મહાત્મા ગાંધી, ડૉ. ચંદુલાલ દેસાઇ, છોટુભાઇ પુરાણી સહિતના મહાનુભવોની પ્રતિમાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. દાંડીકુચ દરમિયાન મહાત્મા ગાંધીજીએ જે સ્થળે રોકાણ કર્યું હતું ત્યાં ગાંધી સ્મૃતિ ભવનને તેમના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે કથાકાર મોરારીબાપુ, રાજ્યપાલ ઓ.પી.કોહલી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના મહેમાનો હાજર રહ્યાં હતાં.