Rain News: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદ શરૂ થયો છે. નવરાત્રી બાદ હવે દિવાળીના તહેવારોમાં પણ વરસાદ વરસી શકે છે. ગઇકાલે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાંપટા પડ્યા હતા, જેમાં સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. હવે આજનો દિવસ પણ ખેડૂતો માટે ભારે રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 


ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગ અનુસાર, આજે પણ વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખાબકી શકે છે. તાજા અપડેટ પ્રમાણે, આજનો દિવસ પણ ગુજરાતના ખેડૂતો માટે ભારે રહેવાનો છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની આગાહી બાદ ફરી એકવાર તંત્ર એલર્ટ મોડમા છે. 


હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, પંચમહાલ અને દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ ખાતે અમુક સ્થળોએ અને કચ્છ જિલ્લામાં અલગ-અલગ સ્થળો પર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 15મી તારીખ અને મંગળવારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.


'દિવાળી ટાણે જ ખેડૂતોના ઘરમાં હોળી' -અતિવૃષ્ટિ અને માવઠાથી પાકો ધોવાયા પરંતુ વળતર મુદ્દે ઠાગા ઠૈયાઃ કોંગ્રેસ - 
રાજ્યમાં ખેડૂતોની દયનીય સ્થિતિ પર કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. રાજ્યમાં કૃષિ પાકના નુકસાન લઈને કિસાન કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઇ રહી છે. કિસાન કોંગ્રેસના ચેયરમેન પાલ આંબલિયાના સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે, છેલ્લા બે-ચાર દિવસથી વરસેલા વરસાદે ખેડૂતોના સપના રોળ્યા છે. વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવ્યો છે. ખેડૂતોની આખા વર્ષની મહેતન પર પાણી ફરી વળ્યુ છે. ગુજરાતમાં મગફળી, કપાસ સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. રાજ્યમાં અતિવૃષ્ટીમાં 80 ટકા કપાસ નાશ પામ્યો છે, તો વળી, મગફળીના પાથરા, કપાસના જીંડવાને વધુ નુકસાના રિપોર્ટ છે. 


સરકાર પર ખેડૂતો મામલે કોંગ્રેસે આકરા તેવર બતાવ્યા છે. પહેલા અતિવૃષ્ટિ થઇ અને બાદમાં માવઠુ થવાથી ખેડૂતના ઘરમાં અત્યારે દિવાળીએ ટાળે જ હોળી જેવી સ્થિતિ પેદા થઇ છે. સરકાર પણ માત્ર જાહેરાતો અને ઠાલા વચનો જ આપે છે. ગત 18 થી 24 જુલાઈમાં થયેલી અતિવૃષ્ટિ માટે 350 કરોડની જાહેરાત થઇ છે પરંતુ રાતી પાઇ ખેડૂતોને મળી નથી. ગઇ 22 થી 30 ઓગસ્ટના અતિવૃષ્ટિનું સર્વે કર્યું પણ સહાયની હજુ જાહેરાત કરાઈ નથી. જમીન ધોવાણનું તો સર્વે પણ નથી થયું. જુલાઈ અતિવૃષ્ટિના ફૉર્મ ભરાવ્યાં પણ ફરજિયાત બિનપિયત પાકો માટે જ તે હતું. જો પિયત હોય અને તેનું ફોર્મ ભર્યું હોત તો ખેડૂતોને 44000 હજાર મળવાપાત્ર હતા. ફરજિયાત બિન-પિયતના જ ફોર્મ ભરાવી ખેડૂતોને હવે માત્ર 22000 હજાર જ મળશે, સરકારે ખેડૂતોને કાંઈ આપવું જ નહોય તો સર્વે અને સહાયની જાહેરાતો કરવાનું બંધ કરે.


આ પણ વાંચો


Weather Tomorrow: આવતીકાલથી ફરી શરૂ થશે વરસાદનો ઘાતક રાઉન્ડ, આ ચાર રાજ્યોમાં શાળા કોલેજમાં રજા જાહેર