રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ક્યાંક છુટો છવાયો તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં માવઠા અથવા માવઠાની અસર વર્તાઈ શકે, જેને લઇ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શિયાળામાં સતત ચાર માવઠાથી ખેડૂતોની કમર તૂટી ગઈ હતી. ત્યારે ઉનાળાની શરૂઆત પહેલાં જ વધુ એક માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે.


હવામાન વિભાગ  દ્વારા માવઠાની આગાહી કરાઈ છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી એક બે દિવસમાં વરસાદની શક્યતા સેવાઇ રહી છે. વધુ એક વખત માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. ઉનાળાના  આગમન પહેલાં ફરી એકવાર મોસમમાં  બદલાવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની દ્વારા બે - ચાર દિવસમાં રાજ્યના ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.


હવામાન વિભાગે સોમવારે શહેરમાં મહતમ તાપમાનનો પારો 35 થી 36 ડિગ્રી નોંધાય તેવી શકયતા દર્શાવી છે. જ્યારે લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રી રહી શકે છે. જેમાં ભેજનું પ્રમાણ 27 ટકા અને હવાની ગતિ 6 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આવતીકાલ મંગળવારે શહેરમાં લઘુતમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. જેમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 34 ટકા અને હવાની ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાકની નોંધવાની સંભાવના રહેલી છે.


ફરી પાટીદાર આંદોલનના ભણકારા, PAASએ ગુજરાત સરકારને શું આપ્યું અલ્ટિમેટમ ?


રાજ્યમાં ફરી પાટીદાર આંદોલનના ભણકારા વાગી રહ્યા હોય તેમ લાગ છે. અનામત આંદોલન વખતે પાટીદાર યુવા-મહિલાઓ પર કરાયેલાં કેસો પાછા ખેચવા પાટીદાર આંદોલનકારીઓએ ફરી સરકાર સામે મોરચો  માડયો છે. સાણંદ નજીક એક ફાર્મ હાઉસમં પાસ નેતાઓની એક બેઠક મળી હતી જેમાં સરકારને અલ્ટીમેટમ અપાયુ છેકે, જો તા.23મી માર્ચ સુધી પાટીદારો સામે નોધાયેલાં કેસો પાછા ખેંચવામાં નહી આવે તો રાજ્યભરમાં અહિંસક રીતે આંદોલન કરવામાં આવશે. ગુજરાતમાં પાટીદાર આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ઉપરાંત પાસ નેતા અલ્પેશ કથિરીયાના વડપણ હેઠળ એક બેઠકનું આયોજન કરાયુ હતું.


આંદોલન કર્યા સિવાય છૂટકો નથી


આ બેઠકમાં એક સ્વરે એવો રોષ ઠાલવવામાં આવ્યો હતોકે, પાટીદાર સંસ્થાઓના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ રાજ્ય સરકારે પાટીદારો સામે કેસો પાછા ખેચવા નિર્ણય કરાયો હતો.એટલુ જ નહીં, ત્રણ મહિનાની સમય અવધિ પણ પૂર્ણ થઇ છે તેમ છતાંય સરકાર કેસો પાછા ખેંચ્યા નથી. આ સંજોગોમાં પાટીદારો પાસે આંદોલન કર્યા સિવાય છૂટકો નથી.