Sarangpur Controversy: સાળંગપુર વિવાદ રાજ્યમાં વધુને વધુ ઘેરો થઇ રહ્યો છે. હવે આ મામલે એક જુના મુદ્દાએ ગરમાવો પકડ્યો છે. હાલમાં જ રાજકોટમાં આ વાતને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે ખ્યાતનામ કથાકાર મુકુન્દદાસ બાપુનું નિવેદન ચર્ચામાં છે. 


અત્યારે સાળંગપુરમાં ભીંતચિતંરોને લઇને વિવાદ ચાલી રહ્યો છે, આ ભીંતચિત્રોમાં હનુમાનજીને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ મુદ્દે સૌરાષ્ટ્રના સાધુ-સંતોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલતી આ પ્રવૃત્તિઓને લઇને રાજકોટના ખ્યાતનામ કથાકાર કથાકાર મુકુન્દદાસ બાપુએ 18 વર્ષ પહેલા કહ્યું હતુ કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પ્રવૃત્તિઓ ચાલે છે તે હિન્દુ ધર્મને ના શોભે. કથાકાર કથાકાર મુકુન્દદાસ બાપુ આ પહેલા અનેકવાર પોતાની કથામાં પણ આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. ખાસ વાત છે કે, આગામી 5 તારીખે મંગળવારના રોજ લીંમડીમાં આવેલા મોટા મંદિરમાં સાધુ સંમેલન ભરાવવાનું છે. લીંમડીના સંત લલિત કિશોરજીની આગેવાનીમાં સૌરાષ્ટ્રભરના સંતો-મહંતો અહીં ઉપસ્થિત રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે ભીંતચિત્રો દોરવામાં આવ્યા તેને લઈને સૌરાષ્ટ્રના સંત મોહન તો લડી લેવાના મૂડમાં દેખાયા છે. 




 


ભીંતચિત્રોને નુકશાન પહોંચાનાર હર્ષદ ગઢવીના સમર્થનમાં આવ્યા ગામના સરપંચ અને હિન્દુ સંગઠન


સાળંગપુર હનુમાનજી મૂર્તિ વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સાળંગપુર ખાતે ભીત ચિત્રો પર શાહી ફેંકનાર હર્ષદ ગઢવીના સમર્થનમાં લોકો આવી રહ્યા છે. હર્ષદ ગઢવીના સમર્થનમાં બરવાળા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. બરવાળા પોલીસ મથક ખાતે બરવાળા તાલુકા હિન્દુ યુવા સંગઠન અને સાધુ સંતો અરજી દેવા પહોંચ્યા છે. બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ અરજી આપી છે.



હર્ષદ ગઢવી દ્વારા કરાયેલ કૃત્યને સમર્થન આપવામા આવ્યું છે. તેમણે કહ્યું કે, હર્ષદ ગઢવી સજ્જન વ્યક્તિ છે.મંદિરે રજૂઆત કરવા ગયેલ ત્યારે યોગ્ય જવાબ નહીં મળતા ધાર્મિક લાગણી દુભાતા ભીત ચિત્રોને નુકસાન કર્યું. જ્યાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ વિશાળ બનાવાઈ ત્યારે એની નીચે હનુમાનજીને સામાન્ય વ્યક્તિ ઘણી ઝુકાવવાનું કામ કર્યું તે દુખદ છે.સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે બેધારી નીતિના વિરોધમાં અરજી આપવામાં આવી છે. 









તો બીજી તરફ સાળંગપુર ભીતચિત્રોને કાળો કલર કરી નુકસાન પહોંચાડનાર હર્ષદ ગઢવીને ચારણકી ગામના સરપંચ સહિત ગામલોકોએ સમર્થન આપ્યું છે. સમર્થનમાં સરપંચ સહિત ગામલોકોએ પ્રતિક્રિયા આપી છે. હર્ષદ ગઢવીએ કરેલ કૃત્યને લોકોએ યોગ્ય ગણાવી સમર્થન આપતા સાથે હોવાનું જણાવ્યું છે. હર્ષદ ગઢવી ધાર્મિક માણસ છે એટલે લાગણી દુભાય એ સ્વાભાવિક છે. હર્ષદ ગઢવીએ પોતાની વાડીમાં ગજાનંદ આશ્રમ બનાવ્યો છે સાથે જ સાળંગપુર જતા પદયાત્રીઓ માટે આશ્રમમાં સુંદર વ્યવસ્થા પણ કરેલ છે.



ભીંત ચિત્રો પર કાળો કલર મારવામાં આવ્યો

સાળંગપુર હનુમાનજી વિવાદિત ચિત્રો પર હનુમાન ભક્ત હર્ષદ ગઢવી દ્વારા કાળો કલર મારવામાં આવ્યો હતો. જેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.  દેશના સુપ્રસિદ્ધ અને લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સ્થાપિત કરાયેલા કિંગ ઓફ સાળંગુપરની વિશાળ પ્રતિમા નીચે ભીંત ચિત્રોમાં હનુમાનજી મહારાજને સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવવામાં આવતા હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન આવતીકાલે સવારે 10 કલાકે અમદાવાદમાં સંતો ભેગા થશે. અમદાવાદના ભારતી આશ્રમ, સરખેજ, લંબે હનુમાન મંદિરે સંતો એકઠા થશે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રથી સંતો આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.