સૌરાષ્ટ્રના કયા શહેરમાં લોકડાઉનની ઉડી અફવા? લોકો થયા દોડતા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Jul 2020 10:20 AM (IST)
સુરેન્દ્રનગર કલેક્ટરે લોકડાઉન લગાવવાનો પ્રશાસનનો કોઈ ઇરાદો ન હોવાની સ્પષ્ટતા કરી હતી.

સુરેન્દ્રનગરઃ છેલ્લા કેટલાક દિવસથી સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમજ હાલ, કોરોનાના એક્ટિવ કેસો 246 થઈ ગયા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. બીજી તરફ સુરેન્દ્રનગરમાં લોકડાઉનની અફવા તેજ થતાં લોકો ચીજ-વસ્તુ લેવા માટે દોડતા થઈ ગયા હતા. જોકે, સુરેન્દ્રનગર કલેક્ટરે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમજ લોકડાઉન લગાવવાનો પ્રશાસનનો કોઈ ઇરાદો ન હોવાની સ્પષ્ટતા કરી હતી. એટલું જ નહીં, સુરેન્દ્રનગરમાં 144ની ધારા ન લગાવી હોવાની પણ સ્પષ્ટતા કરી હતી. અફવા પર ધ્યાન ન આપવા ટ્વિટ કર્યું છે.