ભાજપના સહયોગી રામદાસ આઠવલેએ પાટીદાર અનામતને આપ્યું સમર્થન
abpasmita.in | 23 Sep 2016 02:36 PM (IST)
વડોદરાઃ આરપીઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ, સાંસદ અને મહારાષ્ટ્રના ભાજપના સાથી રામદાસ આઠવલેએ પાટીદાર અનામત આંદોલનને સમર્થન આપ્યું છે. રામદાસે વધુમાં જણાવ્યું કે તેઓ પાટીદાર અનામતને લઈને પ્રધાનમંત્રી સાથે વાત પણ કરશે. પાટીદાર અનામતને સમર્થન આપવાની સાથે સાથે રામદાસ આઠવલેએ મહારાષ્ટ્રમાં ચાલાત મરાઠા આંદોલનને પણ સમર્થન આપ્યું હતું અને કહ્યું કે તેમને પણ આરક્ષણ મળવું જોઈએ