સરદાર સરોવર નર્મદા ડેમ 136. 21 મીટરની ઐતિહાસિક સપાટીએ, 10 દરવાજા ખોલાયા
abpasmita.in | 08 Sep 2019 05:44 PM (IST)
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136. 21 મીટરની ઐતિહાસિક સપાટી પર પહોંચી છે. નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે.
નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136. 21 મીટરની ઐતિહાસિક સપાટી પર પહોંચી છે. નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. આટલા વર્ષોમાં પ્રથમવાર નર્મદા ડેમે 136. 21 મીટરની સપાટી પાર કરી છે. નર્મદા ડેમમાં 215897 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે 185018 ક્યુસેક પાણીની જાવક થઈ છે. 24 કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા 28732 અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા 4710 મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. હાલ પ્રતિદિન 30 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે. વીજળથી કુલ 6 કરોડની આવક થઈ રહી છે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે બે સિસ્ટકમ સક્રિય થતા રાજયમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.