શ્રી ગજજર સુથાર વિશ્વકર્મા બાગ મુંબઈ ટ્રસ્ટે 75 માં સ્વાતંત્ર પર્વની ઐતિહાસિક ઉજવણી કરી હતી.  આ તકે શ્રેષ્ઠ ગુણ લાવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.



 


આ કાર્યક્રમમાં એ મેરે વતન કે લોગો જે ગીત રાષ્ટ્રીય કવિ પ્રદીપ એ લખ્યું હતું તેમના દીકરી મિતુલ પ્રદીપ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને શ્રી ગુજર સુથાર વિશ્વકર્મા બાગ ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.





 


કાર્યક્રમના  ચીફ ગેસ્ટ તરીકે આપણી ચેનલ abp asmita ના એન્કર ગીતા વઘાડિયાને બોલાવવામાં આવ્યા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.




આ સાથે જ મર્ચન્ટ નેવીના ચીફ ઓફિસર પારસ સંચાણિયાનું પણ સન્માન કરાયું હતું. સ્વતંત્રતા દિવસ નિમિતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના 600 થી પણ વધુ લોકો હાજર રહ્યા અને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.