અમરેલીઃ ચલાલા અને બગસરા વચ્ચે જામકા-શેલાણાના પુલ વચ્ચે પાણીમાં બસ ફસાઈ ગઈ છે. સાવરકુંડલા- જુનાગઢ રૂટની એસ.ટી. બસના 25થી 30 મુસાફરો આ બસમાં છે, જે સલામત છે. ભારે વરસાદના કારણે પાણી ભરાવાથી બસ ફસાઈ છે. કોઈ ઘટના ના બને તે માટે બસને સલામત સ્થળે ઉભી રખાઈ છે અને કોઝ વેના પાણી ઉતર્યા બાદ બસ રવાના થશે.