જૂનાગઢઃ સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, કેમ કરી લીધો આપઘાત?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jan 2021 11:45 AM (IST)
વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો છે. મંદિરના રૂમ નંબર-15માં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. અમરેલી જિલ્લાના બગસરાના આસપાસના ગામડામાં રહેતો હોવાની માહિતી સામે આવી છે.

મૃતક વિદ્યાર્થીનો ફાઇલ ફોટો.
જૂનાગઢઃ સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો છે. મંદિરના રૂમ નંબર-15માં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. અમરેલી જિલ્લાના બગસરાના આસપાસના ગામડામાં રહેતો હોવાની માહિતી સામે આવી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, બગસરા તાલુકાનો વિદ્યાર્થી ધોરણ 10માં નાપાસ થયા બાદ ટ્યુશનની તૈયારી કરતો હતો. અભ્યાસ કરતા વિદ્યાર્થીના મંદિરમાં આપઘાતથી ચકચાર મચી ગઈ છે. આપઘાતના કારણ ને લઈને અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.