સુરેન્દ્રનગરઃ વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં છરીનાં ઘા ઝીંકી રિક્ષાચાલક યુવાનની હત્યા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવકની પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક બહેન સાથે આરોપીને બહેન સાથે પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધની જાણ ભાઈને થઈ જતાં પ્રેમી સાથે ઝઘડો થયો હતો. જોકે, પ્રેમીએ પ્રેમિકાના ભાઈની હત્યા કરી નાંખી હતી. મૃતક યુવાનનું નામ શાહરૂખ એમદભાઇ બાબીયા હોવાનું બહાર આવ્યું હતુ. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી સુરજને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો.


વઢવાણના ખાટકીવાસમાં રહેતી શાબેરાને રતનપર બાયપાસ રોડ પર રહેલા સુરજ સાથે પ્રેમસંબંધ હતો. આ અંગે શાબેરાના ભાઈ શાહરૂખને ખબર પડતાં તેણે સુરજને ફોન કરી મગજમારી કરી હતી. શાહરૂખ રીક્ષામાં તલવાર લઈને નીકળ્યો હતો અને સુરજ મળે તો તેને પતાવી દેવાના મુડમાં હતા. જોકે, બીજી તરફ સુરજે પોતાની પાસે પણ છરી રાખેલી હતી. 


ગત સોમવારે સાંજે ધોળીપોળ પાસે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે શાહરૂખ તલવારથી હુમલો કરે તો પહેલા જ સુરજે શાહરૂખને છરીના 20થી વધુ ઘા મારીને ત્યાં જ ઠાર કરી નાંખ્યો હતો. તેમજ હત્યા કરીને સુરજ ફરાર થઈ ગયો હતો. જોકે, ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. 


મૃતકની બહેન શાબેરા અને હત્યારો સુરજ સાથે કેટરિંગમાં કામ કરતાં હોવાથી આંખ મળી ગઈ હતી. તેમજ છેલ્લા બે વર્ષથી બંને વચ્ચે પ્રેમસંબંધ હતા. જોકે, બહેનના પ્રેમસંબંધમાં ભાઈની હત્યા થઈ ગઈ છે. 


 વડોદરાના સી.એ.ને ત્યાં નોકરી કરતી હરિયાણાની 24 વર્ષની યુવતીએ પોતાના બોસ એવા સી.એ. અને તેના ક્લાયન્ટે પોતાના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, સી.એ. અશોક જૈને તેને ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો અને પછી ફ્લેટ પર આવીને પરાણે શરીર સંબંધ બાંધ્યો હતો. તેણે મારા પર બળાત્કાર ગુજાર્યો એ પછી મારા ન્યૂડ ફોટા વાયરલ કરતાં મને શંકા ગઇ હતી.  મેં મારા રૂમ ચેક કરતાં એ.સી.ના  પ્લગ પાસે એક સ્પાય કેમેરો મળી આવ્યો હતો અને આ કેમેરો મેં કાઢી લીધો હતો.


વડોદરામાં રેસકોર્સ વિસ્તારમાં ઓફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પોતાની ઓફિસમાં કામ કરતી હરિયાણાની 24 વર્ષની યુવતી સાથે પરાણે શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે સી.એ.ના ક્લાયન્ટ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ પણ યુવતીને ફ્લેટ પર આવીને તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા.


પીડિતાએ રાજુ ભટ્ટ નામના ક્લાયન્ટ સામે પણ  ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યા છે. તેણે કઇ રીતે બળાત્કાર ગુજાર્યો તેની પણ કેફિયત વર્ણવી છે. પીડિતાએ કહ્યું છે કે,મારા બોસ અશોક જૈને મારા પર બળાત્કાર ગુજાર્યો પછી  જતાં જતાં ક્લાયન્ટ રાજુ ભટ્ટને ખુશ કરવાનું  કહીને ગયા હતા.


બીજા દિવસે મારા ફ્લેટમાં રાજુ  ભટ્ટ આવ્યા હતા. રાજુ  ભટ્ટે મને ચા-પાણી મળશે ? તેમ પૂછતાં મેં ના પાડી હતી.  તેણે મને પકડી લીધી હતી અને કહ્યું હતું કે, બોલ હા કે ના ?  મેં ના પાડી હતી.રાજુ ભટ્ટે ધક્કો મારી મને બેડરૂમમાં ધકેલી હત.  તે વખતે  મેં ભાગવાનો પ્રયાસ કરતાં તેમણે મારા પર ટીવી ફેંક્યું હતું જેથી મને પગે ઇજા થઇ હતી. ત્યારબાદ તેમણે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે મને પકડી રાખી કહ્યું હતું કે, તું કાંઇ કરીશ તો મેં રેકોર્ડિંગ કર્યું છે તે વાયરલ કરીને   બદનામ કરી દઇશ.