સુરેન્દ્રનગરઃ જૂનાગઢના રાણકદેવી મહેલ ખાતે જુમ્મા મસ્જિદનું પુરાતત્વ વિભાગ અને ગુજરાત ટુરિઝમ દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યું છે એ તાત્કાલિક ધોરણે હટાવવા માંગ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના ચુડાસમા, સરવૈયા, રાયજાદા,રણા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા સુરેન્દ્રનગર અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.