ગાંધીનગર: રાજ્યની પાલિકાઓ અને ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર બનાવવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને પણ વેરો વધારવા સૂચના અપાઈ છે. ગઈકાલે મળેલી જિલ્લા પંચાયતના પ્રમુખો અને ઉપપ્રમુખોની સંવાદ બેઠકમાં સીએમએ સૂચના આપી હતી. રાજ્યની તમામ 158 નગરપાલિકાને વેરો વધારવા સૂચના અપાઈ હતી. મોટા ભાગની નગરપાલિકાઓમાં છેલ્લા 10 વર્ષથી વેરો વધારવામાં આવ્યો નથી.  મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં પણ ઘણા લાંબા સમયથી વેરો વધારાયો નથી. 


ઓછી આવકના કારણે પાલિકાઓ આર્થિક રીતે પડી ભાંગી છે. થોડા દિવસ પહેલા પાલિકાના પદાધિકારીઓની કોન્ફરન્સ મળી હતી. પાલિકાની કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ સરકાર લેણું માફ નહિ કરે તેવી સ્પષ્ટ વાત કરી દીધી હતી. પાલિકા અને ગ્રામ પંચાયતોમાં લોકોની અપેક્ષાઓ વધી રહી છે.  ગ્રામપંચાયત અને પાલિકા વિસ્તાર પણ વધતો જાય છે. પાલિકા અને ગ્રામ પંચાયતનો ખર્ચ વધ્યો છે પણ આવક વધતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ પર પાલિકાઓ અને ગ્રામ પંચાયતોએ નિર્ભર રહેવું પડે છે.


વિજય રુપાણીનું મોટું નિવેદન


મહાશિવરાત્રીના પાવન પર્વે દીવસે ભાવિકભક્તોની ભીડ શિવાલયોમાં ઉમટી છે.  હર-હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 સીટ જીતશે તેવું નિવેદન પૂર્વ મુખ્યમંત્રીએ આપ્યું છે.


દેવાધિદેવના વિશેષ પૂજનનો દિવસ એટલે મહા શિવરાત્રીનું પર્વ, આજના દિવસે ભાવિક ભક્તજનો વહેલી સવારથી ગીર સોમનાથ ખાતે આવેલા સ્વ્યંભૂ મહાદેવ સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડ્યા હતા. સોમનાથ ઉપરાંત પણ રાજ્યભરના શિવાલયોમાં શિવરાત્રીની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથના માર્ગો જય સોમનાથના નાદથી ગુંજી ઊઠયા, એટલું જ નહીં સોમનાથ આવતા વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વૃદ્ધો અને દિવ્યાંગો સરળતાથી આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનશે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથ દાદાના દર્શન કરવા માટે પડ્યા હતા સાથે જ નેતાઓ પણ આજે મહાશિવરાત્રીના દિવસે સોમનાથ દર્શનનો લાભ લીધો હતો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન અને પૂજા અર્ચના કરી હતી


પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ દાદાના દર્શન કર્યા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સોમનાથ દાદાની મારા પર અવિરત કૃપા છે અને મેં પ્રાર્થના કરી છે કે આવનારી લોકસભાની ચૂંટણીના 400 દિવસ બાકી છે, અને ભાજપ ફરી લોકસભાની ચૂંટણીમાં 400 સીટ જીતીને ભવ્ય વિજય થાય તેવી મેં સોમનાથ પ્રાર્થના કરી છે.


તો બીજી બાજુ મહાશિવરાત્રીના પાવન તહેવારના લઈ સોમનાથ મંદિર ખાતે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમરતા હોય છે અને મંદિરમાં ભારે હોય છે જેમને લઈ ગીર સોમનાથ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મંદિરમાં લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે. 24 કલાક 300 જેટલા સુરક્ષા કર્મીઓ મંદિર પરિસર તેમજ બહારથી આવતા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે અને ત્યાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.