મોડાસાઃ અરવલ્લીના મોડાસાના સાકરીયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી હોમ ગાર્ડ ભરતીમાં આવેલા ઉમેદવારનું ફિજિકલ ટેસ્ટ આપ્યા બાદ તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.


મળતી જાણકારી અનુસાર અરવલ્લી જિલાના સરડોઇ ,ટીંટોઈ અને ધનસુરા વિસ્તારના હોમગાર્ડમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મોડાસાના સાકરીયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભરતી કેમ્પ યોજાયો હતો જેમાં ત્રણેય વિસ્તારો માઠી 243 ઉમેદવારો ભરતીમાં જોડાવા માટે આવ્યા હતા ત્યારે આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો રણજીતસિંહ રજુસિંહ પરમાર ઉંમર 25 વર્ષ નામનો ઉમેદવાર પણ ભરતીમાં આવ્યો હતો આ ઉમેદવારે ભરતીમાં ફિજિકલ ટેસ્ટ આપ્યા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવતો હતો તેવામાં અચાનક ચક્કર આવી તબિયત લથડી હતી જેથી સ્થળ ઉપર હાજર ડોક્ટરની ટિમ દ્વારા પ્રાથમિક તાપસ બાદ વધુ સારવાર માટે સ્થાળ ઉપર હાજર એમ્બ્યુલન્સ માં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો જ્યા આ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે યુવાનના મોતને પગલે પરિવાર જનોમાં શોકનો માહોલ છવાયો હતો મરણ જનાર યુવક આર્થિક ગરીબ પરિસ્થિતિનો અને નિરાધાર છે યુવકને ત્રણ બાળકો છે ત્યારે પરિવાર જાણો દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે


સુરતમાં ઓમિક્રોનનો ખતરો?


કોરોનાના નવા વેરિએંટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં દહેશતનો માહોલ છે. ત્યારે કેંદ્રની સૂચના બાદ સુરત મહાનગર પાલિકા પ્રશાસન પણ એલર્ટ થયું છે. છેલ્લા 15 દિવસમાં યુકે સહિત 13 દેશોમાંથી સુરતમાં આવેલા યાત્રીઓની સંખ્યા વધીને 351 થઈ ગઈ છે. જેમાંથી જ્યા નવા વેરિએંટના વધુ કેસ છે તેવા નવ પ્રવાસીઓ દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની ટીમે આ તમામને હોમ ક્વોરંટાઈન કર્યા છે. એટલુ જ નહી જેમાંથી 78 લોકોના આરટી પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.જેમનો રિપોર્ટ હજુ આપવવાનો બાકી છે.


અન્ય મુસાફરોના આરટી પીસીઆર ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જો રિપોર્ટ પોઝિટીવ આવશે તો સેમ્પલના જિનોમ સિક્વસિંગ કરવામાં આવશે. રવિવારે સુરત એયરપોર્ટ પર 391 મુસાફરોના આરટીપીસીઆર થયા હતા. આ પૈકી 298ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 93ના રિપોર્ટ પેન્ડિંગ છે. એટલુ જ નહી કેંદ્રની સૂચના બાદ સુરત મનપાએ વિદેશ કે અન્ય રાજ્યમાંથી આવ્યા હોઈ થવા કોરોના પોઝિટીવ હોઈ તેમના સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ ભરવા અપીલ કરી છે.