ગુજરાતમાં હુજ ત્રણ દિવસ પહેલા જ સ્કૂલ શરૂ થઈ છે ત્યારે ગઈકાલે જ જામનગર જિલ્લાના જોડિયામાં આવેલ હુન્નર શાળાની ધોરણ 12માં અભ્યાસ કરી એક વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


આ મામલે નવસારીના વાંસદા ખાતે શિક્ષણમંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે કે કોરોના પોઝિટિવ આવેલી દીકરી શાળામાં ગઇ જ ન હતી. 4 દીકરીઓએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં એક દીકરી કોરોના પોઝિટિવ આવી હતી. એ દીકરી શાળાએ ગઇ જ ન હતી અને એ શાળા બંધ નથી. આજથી પૂર્વવત ચાલુ થઇ જવાની છે.

જોકે જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યાનો આંકડો સિંગર ડિજીટમાં આવ્યો છે. ગઈકાલે જામનગરમાં 8 પોઝિટીવ કેસ આવ્યા હતા જ્યારે ગ્રામ્યમાં માત્ર 1 પોઝિટીવ કેસ આવ્યો હતો. જામનગર શહેરમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો સંખ્યા 7,687એ પહોંચી છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ સંખ્યા 2,295એ પહોંચી છે. આ બન્ને મળીને જિલ્લામાં કુલ 9,986 લોકો કોરોનાના કેસ નોંધાયા છે.

શાળાઓને લઇને આ છે નિયમો

  • ધો.10-12માં શિક્ષણકાર્ય ચાલુ કરવાનો નિર્ણય

  • PG અને UGના છેલ્લા વર્ષમાં શિક્ષણકાર્ય ચાલુ કરાશે

  • શાળાએમાં કેન્દ્ર સરકારની SOP લાગુ કરાશે

  • રાજ્યની તમામ શાળાઓમાં SOP મોકલી અપાઈ

  • શાળાઓએ PHC સેન્ટર સાથે સંપર્ક કરવાનો રહેશે

  • શાળાઓએ વાલીઓની સંમતિ લેવાની રહેશે

  • શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહીં

  • ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે

  • થર્મલ ગન, સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે

  • શાળામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે

  • વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં અપાય