અમદાવાદઃ રાજયમાં બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં વધુ 32 જાતિઓ અને પેટા જાતિઓનો સમાવેશ કરાયો છે. બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં સમાવેશ થયેલ ના હોય એવા બિન અનામત વર્ગના અરજદાર અને સંસ્થાઓ તરફથી યાદીમાં સમાવેશ કરવા રજૂઆત કરવામા આવી હતી. બિનઅનામત વર્ગની જાતિમાં વધુ 32 જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવતા હવે પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે. વિચારણાના અંતે સરકાર તરફથી હિન્દુ ધર્મની 20 જાતિઓ અને મુસ્લિમ ધર્મની 12 જાતિઓે બિન અનામત જાતિની યાદીમાં સમાવેશ કર્યો છે. કઈ કઈ જ્ઞાતિને બિન અનામત વર્ગમાં કરાયો સમાવેશ ? હિંદુ વાલમ બ્રાહ્મણ ખંડેલવાલ મોઢવણિક મોઢ વાણિયા ખેડાવાળ બ્રાહ્મણ બાજ ખેડાવાળ બ્રાહ્મણ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જેઠી મલ્લ , જેષ્ઠિ મલ્લ , જયેષ્ઠિ મલ્લ પુરબીયા રાજપુત ક્ષત્રિય હિંદુ આરેઠિયા વાવિયા હિંદુ મહેતા મોરબીયા જોબનપુત્રા પુરોહિત, રાજપુરોહિત મારુ રાજપુત અમદાવાદ રાવત (રાજપુત) કુરેશી મુસ્લિમ સુન્ની મુસલમાન વ્હોરા પટેલ સુન્ની મુસલમાન ખેડવાયા મુસલિમ મુસ્લિમ ખત્રી બુખારી મોમીન સુથાર મોમીન સુથાર મુમન મુસ્લિમ રાઉમા મુસ્લિમ રાયમા મુસ્લિમ વેપારી