દ્વારકાઃ દ્વારકા જગતમંદિરમાં રૂપિયા ઉડાવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. મળતી જાણકારી અનુસાર, દ્વારકા મંદિરમાં પ્રતિબંધ છતાં દ્વારકા જગતમંદિરમાં રૂપિયા ઉડાવતા હોવાનો વીડિયો બનાવ્યો હતો. ભગવાનને થાળ ધરાવતા સમયે નોટોનો વરસાદ કરી વીડિયો રીલ બનાવવામાં આવી હતી.


પુરાતત્વ વિભાગ અંતર્ગત ટ્રસ્ટની દેખભાળથી ચાલતા મંદિરમાં ખાનગી શૂટિંગ પર પ્રતિંબધ છે. તેમ છતાં કેટલાક લોકોએ વીડિયો રીલ બનાવી હતી. ભગવાન શ્રી કૃષ્ણ માટેની આસ્થા હોય તે આવકાર દાયક છે પરંતુ નોટોનો વરસાદ સમયે રીલ બનાવવાનું દુષણ પર અંકુશ કેમ નહીં?


 


PM મોદીની 12મે ના એક દિવસીય ગુજરાતની મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર


ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) ના લાભાર્થીઓ માટે રૂ.1946 કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિર ખાતે બપોરે 12.00 વાગે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ અને ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલ સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.


પીએમ મોદીનો એક દિવસીય ગુજરાતની મુલાકાતનો સમગ્ર કાર્યક્રમ



  • PM મોદી 12મેં ના રોજ એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મેના રોજ ગાંધીનગરમાં યોજાનાર 3 કાર્યક્રમમાં હાજરી આપશે.

  • 12મેના રોજ પ્રધાનમંત્રી સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે.

  • 11 વાગે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં ગિફ્ટ સિટી ખાતે હાજરી આપશે.

  • 12 વાગે મહાત્મા મંદિરમાં અમૃત અવાસોત્સવમાં હાજરી આપશે.

  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.1946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહ પ્રવેશના કાર્યક્રમમાં આપશે હાજરી

  • શહેરી વિસ્તારમાં 7113 આવાસોનું અને ગ્રામીણ વિસ્તારમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી.

  • મહાત્મા મંદિરથી પ્રધાનમંત્રી રાજભવન જશે.

  • રાજભવનમાં 1.30 થી 2.30  સુધી રોકાણ કરશે પ્રધાનમંત્રી મોદી.

  • પ્રધાનમંત્રી રાજભવનમાં CM, સંગઠનના પદાધિકારીઓ તથા સરકારના મુખ્ય સચિવ સહિત અધિકારો સાથે કરશે બેઠક.

  • પ્રધાનમંત્રી મોદી બપોરે 3 વાગે ગિફ્ટ સિટી જશે.

  • ગિફ્ટ સીટીમાં વિવિધ કંપનીના CEO તથા વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે કરશે બેઠક.

  • PM 5 વાગે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.

  • અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે


7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ.1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે