અરવલ્લી :યાત્રાધામ શામળાજી ખાતે આવતી કાલે ભાદરવા સુદ પૂનમ નિમિતે મંદિર ના સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણીએ ક્યાં સમયે થશે મંગળા આરતી આરતી


શામળાજી: ભારદવી પૂનમના અવસરે શામળાજીની આરતી અને રાજભોગ સહિતના સમયમાં ફેરફાર કરાવામાં આવ્યો છે. જાણી મંગળા આરતી સહિતના દર્શનના ક્યાં સમય નક્કી કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનિય છે કે, ભાદરવી પૂનમ નિમિતે રાત્રી દરમિયાન હજારો ભક્તો પગપાળા શામળિયાના દ્વારે પહોંચશે જેના લીધે આવતી કાલે મંદિર  વહેલી સવારે 5.00 કલાકે ખૂલશે. મંગળા આરતી સવારે 5.45 કલાક યોજાશે, તો
શૃંગાર  આરતી સવારે 8.30 કલાકે થશે. રાજભોગ  11.30 કલાકે ધરાવાશે. તો  રાજભોગ આરતી બપોરે 12.15 કલાકે થશે. આરતી બાદ મંદિર બપોરે 12.30 કલાકે બંધ થશે. મંદિર ઉત્થાપન બપોરે 2.15 કલાક ખૂલશે. સંધ્યા આરતી સાંજે 7. 00 કલાકે થશે. શયન આરતી રાત્રે 8.15  કલાક થશે  અને બાદ  મંદિર  રાત્રે 8.30 કલાકે બંધ થશે.


ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજીને 21 લાખની   ચલણી નોટથી શણગાર કરાયો


 સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે ભગવાન ગણેશના અવનવા શણગાર કરવામાં આવતા હોય છે ત્યારે અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં યોજાયેલ ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજી  ચલણી નોટોથી 21 લાખ રૂપિયાનો શણગાર કરવામાં આવ્યો છે. 


સાવરકુંડલામાં સદભાવના ગ્રુપની સ્થાપના 21 વર્ષ પહેલા થઈ હતી.  શહેરમાં રક્તદાન એબ્યુલન્સ મોક્ષરથ મેડિકલ સાધનો ઓકિસજન કિટ 24 સહિતની અનેક સેવાકીય પ્રવૃતિઓ સદભવાના ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.  સાથોસાથ ગણેશ ઉત્સવની ધામધૂમથી પંદર વર્ષથી  ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે.  ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશજીનો અવનવો શણગાર કરવામાં આવે છે.                                              


આજના દિવસે ભગવાન ગણેશજીને ભારતીય ચલણી નોટોના રૂપિયા 10,20,50,100,500 નો શણગાર 21 લાખ રૂપિયાનો કરવામાં આવ્યો હતો.  ગઈકાલે આ ગણેશ ઉત્સવ દરમિયાન રક્તદાન કેમ્પ યોજાયો હતો તેમાં 294 બોટલ એકત્રિત કરવામાં આવી હતી.  ગણેશ ઉત્સવ દરમિયાન બાળકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે.  જેવી કે ગણપતિ પેઇન્ટિંગ સ્પર્ધા માંટીના ગણપતિ સ્પર્ધા તેમજ સાવરકુંડલાની 27 શાળાઓના 2250 જેટલા વિદ્યાર્થીઓએ હેન્ડરાઇટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.