સુરેન્દ્રનગરઃ દૂધરેજ વડવાળા મંદિરનાં સન્માન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉપસ્થિત રહેશે. રાજ્યના સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિરને રૂ. 3 કરોડ ફાળવતા સમસ્ત રબારી સમાજ મુખ્યમંત્રીનું સન્માન કરશે. સાંજે 5 વાગ્યે કાર્યક્રમમાં સંતો મહંતો, મંત્રીઓ, અઘિકારીઓ, પદાઘિકારીઓ ઊપસ્થિત રહેશે.


વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય  ભગાભાઈ બારડ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આમને સામને આવી ગયા હતા. જશાભાઈ બોલવા ઉભા થતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ હાથના ઈશારે જશા બારડને બેસવા માટે કહ્યુ. સામા પક્ષે જશા બારડે આ મુદ્દે શિક્ષણ મંત્રીને કહ્યું, આપને મને બેસાડવાનો અધિકાર નથી. એ કામ અધ્યક્ષ કરશે.


નીતિન પટેલે કોંગ્રેસના કયા નેતાને કહ્યું, 'તમારે બારમુ જ છે, ઉજવણી ક્યાય નથી'
ગાંધીનગરઃ ભાજપના સિનિયર ધારાસભ્ય નિતિન પટેલે એક પ્રશ્નનો ચાવડાને વળતો જવાબ આપતાં કહ્યું કે, તમારે બધુ બદલાયું છે. તમારે બારમુ જ છે. ઉજવણી ક્યાંય નથી. હજુ તમારુ બધું ઓછું થવાનું છે.  એ પણ અમે જ કરશું. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, યુજીસીના નિયમો મુજબ રાજ્યમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક થતી નથી. હાલ રાજ્યમા જે વીસી લાયકાત વગરના છે એમને રદ કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ લખવુ પડ્યુ છે કે યથા રાજા તથા પ્રજા. તેમણે કહ્યું કે, સરકાર કરેલા કામો સમજાવવામાં નિષ્ફળ થાઓ છો એટલે તમારે ઉત્સવો કરવા પડે છે. અડવાણીએ ઈવીએમ પ્રત્યે શંકા વ્યક્ત કરી હતી.



ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોને સિંચાઇ માટેના પાણી મુદ્દે મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે, ખેડૂતોને સિંચાઈ માટે 31મી માર્ચ સુધી પાણી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં શિયાળુ પાક માટે અને ઉનાલુ પાક માટે વીજળીની જરૂરિયા વધી છે. પૂરવઠો નિયમિત મળી રહે અને અન્યાય ન થાય એ માટે ઉર્જા મંત્રી કનનુ દેસાઈની ચેમ્બરમાં મિટિંગ હતી. જેમાં બ્રિજેશ મેરજા, કોંગ્રેસના ધારાસભ્ય ઉપસ્થિત હતા. 8 કલાક વીજળી પૂરા વોલ્ટેજ થી 8 કલાક સતત વિજળી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જો કોઈ સમસ્યા થાય તો છેલ્લે 6 કલાક વીજળી તો આપવામાં આવશે.