Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરિંગની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લાના ઢાંકી ગામમાં એક વ્યક્તિએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ જેમાં એક બાળકનું મોત થયુ હતુ, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યુ છે. હાલમાં પોલીસે આ મામલે ગુના નોંધીને તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના પ્રેમ પ્રકરણની બબાલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 


સુરેન્દ્રનગર જિલ્લામાં ઢાંકી ગામમાં ફાયરિંગની ઘટના બાદ પોલીસે સઘન તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે, ઢાંકી ગામમાં એક પ્રેમ પ્રકરણને લઇને બબાલ થઇ હતી, જેમાં ઇન્દ્રોડાના અલી નથુ નામના વ્યક્તિ પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે. અલી નથુના ફાયરિંગમાં 12 વર્ષના એક બાળકનુ મોત થયુ હતુ, જ્યારે બાબુ ઓકળિયા નામના શખ્સ ઇજાગ્રસ્ત થયો હતો. પ્રેમ પ્રકરણને લઇને બનેલી આ સમગ્ર ઘટનામાં આરોપી અલી નથુ વિરૂદ્ધ પોલીસમાં લૂંટ, ધાકધમકી સહિતના ગુના અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે. લખતર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.


બેંગલુરુમાં પણ પ્રેમ પ્રકરણમાં થયો હતો જધન્ય હત્યાકાંડ - 


બેંગલુરુમાં હત્યાનો એવો કેસ સામે આવ્યો છે, જેણે આખા શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. 29 વર્ષીય મહિલાની ક્રૂરતાથી હત્યા કરી તેના મૃતદેહને 32 ટુકડામાં કાપીને ફ્રિજમાં રાખી દેવામાં આવ્યો હતો. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પોલીસને શંકા છે કે આ હત્યા લગભગ 15 દિવસ પહેલા થઈ હતી. પોલીસને ક્રાઇમ સીન પર મૃતકના શરીરના ટુકડા તેના ઘરની અંદર એક રેફ્રિજરેટરમાં રાખેલા મળ્યા હતા. હાલમાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે છે અને કેસની તપાસ કરી રહ્યા છે. આ હત્યા પાછળનો હેતુ અથવા શંકાસ્પદો વિશે હજુ કોઈ વધુ માહિતી મળી નથી. કમિશનરે જણાવ્યું કે હત્યાનો શિકાર થયેલી મહિલા બીજા રાજ્યની હતી, પરંતુ તે તેના પરિવાર સાથે બેંગલુરુમાં રહેતી હતી. મૃતકના પરિવારજનોના આવ્યા પછી હત્યાની જાણ થઈ. સ્થાનિક લોકો અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી, જેના પછી ઘરનું તાળું તોડીને અંદર જતાં હત્યાની જાણ થઈ. જણાવવામાં આવી રહ્યું છે કે તે મહિલા ત્રણ મહિના પહેલા જ આ જગ્યાએ ભાડાના મકાનમાં આવી હતી. પોલીસ અનુસાર ઘટનાસ્થળે ફોરેન્સિક ટીમ, ડોગ સ્ક્વોડ અને FSL ટીમ પહોંચી ચૂકી છે અને કેસની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.


પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના પરિવારના સભ્યો આવ્યા બાદ હત્યાનો ખુલાસો થયો હતો. તે જ સમયે, સ્થાનિક લોકોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ઘરમાંથી એક વિચિત્ર ગંધ આવી રહી હતી, ત્યારબાદ જ્યારે સ્થાનિક લોકોએ ઘરનું તાળું તોડ્યું તો તે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલાએ આ ઘર બે-ત્રણ મહિના પહેલા જ ભાડે લીધું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને ફોરેન્સિક ટીમ, ડોગ સ્કવોડ અને એફએસએલ ટીમ ઘટનાનો પર્દાફાશ કરવા પહોંચી ગઈ છે.


આ પણ વાંચો


Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર