અમદાવાદઃ પાટીદારોની મોટી સંસ્થા સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી)માં બે ફાંટા  પડ્યા છે. અસપીજીના અધ્યક્ષ લાલજીભાઈએ અટકાવેલી નિમણુકને લઈને વિવાદ વકર્યો છે. લાલજી પટેલના નિર્ણયની વિરોધમાં નવી સમિતિ બનાવી છે. એસપીજીના અધ્યક્ષ બદલાવાયા છે. એસપીજી ગ્રુપના નવા હોદેદારો નિમવાના મામલે એસપીજીના નવા અધ્યક્ષ અશ્વિન પટેલ બનવા મુદ્દે  લાલજી ભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે. 


એસપીજી ગ્રુપના કોઇ નવા અધ્યક્ષ કે હોદેદારોની નિમણુક કરાઈ નથી. અમારી ગેરહાજરી માં મિટિંગ બોલાવી એસપીજીના લેટરપેડ અને લોગાનો ઉપયોગ કરી અધ્યક્ષ બની ગયાં છે. આ મિટિંગમાં મારી હાજરી ન હતી. એસ પી જી ગ્રુપ બે ભાગમાં વેચાયું. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલે જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરાંગ પટેલ મહામંત્રી અને પ્રવક્તા પુર્વિન પચેલની વરણી કરવામાં આવી છે. ૨૭/૭/૨૧ એસપીજીના હોદ્દા અને વરણી સ્થગીત કર્યા હતા. બાદમા ૧૭ તારીખ સુધિ કોઈ પણ હોદ્દે દારની વરણ સ્થગીત કરી નવા હોદ્દેદારોની કરાઈ નિમણુક.

આપને વધુ એક ફટકો, મહેશ સવાણીએ પક્ષને કર્યા રામરામ, જાણો હવે શું કરશે ?


ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો પડ્યો છે. સમાજ સેવક અને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. સુરતના જાણિતા સમાજસેવક અને ઉદ્યોગપતિ મહેશ સવાણી હવે માત્ર સમાજસેવા પર ધ્યાન કેંદ્રીય કરશે.


આ પહેલાં આજે સવારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પડેલા એક મોટા ફટકામાં જાણીતા ગાયક વિજય સુવાળા  આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા.  ગુજરાતમાં  આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળાને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. એ પછી આમ આદમી પાર્ટીનાં નીલમબેન વ્યાસ પણ ભાજપમાં જોડાઈ ગયાં હતાં. આમ એક જ દિવસમાં આમ આદમી પાર્ટીને ત્રીજો ફટકો પડ્યો છે. 










'આપ'માં જોડાયા બાદ મહેશ સવાણીએ કહ્યું હતું કે, 'મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. સત્તાધીશો મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું. પણ મેં નક્કી કર્યું છે કે, ભલે મારે જેલમાં જવું પડશે, ભલે બે-બે ગોળી મારી દેશે. મેં નવી જમીન પસંદ કરી છે.


મહેશ સવાણી સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ છે. તેઓ મૂળ ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના વતની છે અને પીપી. સવાણી ગ્રુપના સંચાલક છે. ડાયમંડ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. 2019માં તેમણે ભાજપમાંથી ટિકિટ માગી હતી. મહેશ સવાણી અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે. 2008થી તે  મોટા પાયે આવા સમૂહ લગ્નોનું આયોજન કરે છે. 


જાણીતા ગાયક વિજય સુવાળા  આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા


ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પડેલા એક મોટા ફટકામાં જાણીતા ગાયક વિજય સુવાળા  આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.  ગુજરાતમાં  આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળાને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો.


ગાંધીનગરમાં કમલમ ખાતે વિજય સુંવાળાને પ્રવેશ આપતાં પાટીલે કહ્યું કે, રાત્રિનો ભૂલેલો દિવસે પરત ફર્યો છે અને આજે પોઝિટિવ માહોલ છે. પાટિલે કહ્યું કે, આજે વિજયભાઈની ઘરવાપસી થઈ છે. વિજયભાઈ ભ્રમમાં આવી ગયા હતા અને હવે ઘરે પાછા ફર્યા છે.


વિજય સુવાળાએ કહ્યું હતું કે, મારી ત્રણ પેઢીથી ભાજપની વિચારણા સાથે જોડાયેલા છીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો હું ફેન છે.



રસપ્રદ વાત છે કે, આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીને મિત્ર અને મોટા ભાઈ ગણાવનારા સુવાળાએ સી.આર. પાટિલને પિતા સમાન ગણાવ્યા હતા. વિજય સુવાળાએ કહ્યું હતું કે, સી. આર. પાટીલના દિલમાં હું વાસ કરું છું અને સી. આર. પાટીલ મને દીકરા તરીકે માને છે. ભાજપથી સારું સંગઠન કોઈ જગ્યાએ નથી તેથી હું ભાજપમાં જોડાયો છું.