સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જતાં બે યુવકોના મોત નિપજયાં છે. ખેતરમા ખેત મજૂરી કરતો એક પરપ્રાંતીય યુવક ડૂબતા તેને બચાવવા જતાં બીજો પણ પરપ્રાંતીય યુવક પણ ડૂબ્યો હતો. બે પરપ્રાંતીય યુવકોના ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. 8 કલાકની ભારે જેહમત બાદ બને યુવાનોની ડેડ બોડી કેનાલમાંથી બહાર કાઢવામાં આવી છે. સ્થાનિક તરવૈયા જયદેવસિંહ ઝાલા અને ધ્રાંગધ્રા નગરપાલિકા સહિતની ટીમે બને યુવકોની લાશને ભારે જહેમત બાદ કેનાલમાંથી બહાર કાઢી છે.


 



રાજ્યમાં સાંજે આ વિસ્તારમાં ભારે વરસાદનો અનુમાન


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ કોઈ સિસ્ટમ  નથી બની જેથી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ કોઈ સિસ્ટમ  નથી બની જેથી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. ઉપરાંત અમદાવાદમાં આજે  સાંજે વરસાદનો અનુમાન છે. આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાનના અનુમાન મુજબ આજના દિવસે નર્મદા, ડાંગ, નવસારી,દમણ અને દાદરાનગરહવેલીનાં વરસાદનો અનુમાન છે. ઉપરાંત હજુ આજના દિવસે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર રહેશે.પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ગીર સોમનાથ, દ્વારકામાં ભારે વરસાદનો અનુમા છે.



અમદાવાદ,ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગરમાં  આજે સામાન્ય વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં આજે સાંજે સામાન્ય વરસાદ રહશે તો હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાતી  વરસાદનું જોર ઘટશે. આવતી કાલ થી વરસાદનું જોર ઘટતા રાજ્યમાં છુટછવાયો સામાન્ય વરસાદ રહેશે. ગઇકાલે સૌથી વધુ  વલસાડમાં વરસાદ નોંધાયો. ઉપરાંત નવસારીમાં 215 મિમિ,,જૂનાગઢમાં 165 મિમિ,અમદાવાદ 120મિમિ, ગાંધીનગર 44મિમિ વરસાદ નોંધાયો.


 ગુજરાતમાં ધોધમાર વરસાદથી છલકાયા આ ડેમ


ધોધમાર વરસાદની રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે..207 જળાશયોમાં 14 સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.સરદાર સરોવર ડેમમાં 53.90 ટકા જળસંગ્રહ છે..સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 38.31 ટકા પાણીનો જથ્થો છે..ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 47.25 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 31.17 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 34.59 ટકા, કચ્છના 20 જળાશયમાં 54.43 ટકા પાણીનો જથ્થો છે. 


દક્ષિણ ગુજરાતના 13 પૈકી  એક ડેમ સંપૂર્ણ ભરાઇ ચૂક્યો છે. કચ્છના 20 પૈકી 4 ડેમ પુર્ણતઃસપાટીએ પહોંચ્યા છે.અત્યારે તાપીનો ડોસાવાડા, ગીર સોમનાથનો મચ્છુન્દ્રી, જૂનાગઢનો મોતા,ગુજરીયા, ઉબેણ ડેમ પણ  સંપૂર્ણ ભરાઇ ગયો છે. તો અમરેલીના વડિયા અને સાકરોળીનો ડેમ પણ સંપૂર્ણ ભરાયો છે..રાજકોટના સોડવદર ડેમ, મોજ ડેમ, જામનગરનો વાગડીયા, સપડા અને રૂપારેલ ડેમસંપૂર્ણ ભરાઇ ગયો છે.મહેસાણાના ધરોઈ ડેમમાં નવા નીરની આવક  થતાં જળ સપાટી 609.13 ફુટ પર પહોંચી છે.ધરોઈ ડેમમાં હાલ 14 હજાર 722 ક્યુસેક પાણીની આવક  થઇ છે.


સૌરાષ્ટ્રના નવ, કચ્છના ચાર, દક્ષિણ  ગુજરાતનો એક સંપૂર્ણ ભરાઇ ચૂક્યો છે. ગીર સોમનાથનો હિરણ-2 ડેમ 70 ટકા ભરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં હિરણ-2 ડેમ ડીઝાઇન સ્ટોરેજના 70 % એટલે કે આર.એલ. 69.60 મીટર, ઉંડાઇ 7.19 મીટર તથા જીવંત જથ્થો 23.499 એમ.સી.યુ. એમ. જેટલો ભરાયેલ હોય છે,સરદાર સરોવર ડેમમાં 53.90 ટકા જળસંગ્રહ છેસૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 38.31 ટકા જળસંગ્રહ છે. કચ્છના 20 જળાશયોમાં 54.43 ટકા જળસંગ્રહ છે. ઉ. ગુજરાતના 15 જળાશયોમાં 47.25 ટકા જળસંગ્રહ છે,દ.ગુજરાતના 13 જળાશયોમાં 34.59 ટકા જળસંગ્રહ છે,મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 31.17 ટકા જળસંગ્રહ છે.