ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજેપીએ રાષ્ટ્રીય નેતાઓની ફોજ ઉતારી છે. હળવદ ધ્રાંગધ્રા વિધાન સભા ૬૪નાં ભાજપનાં ઉમેદવારની ધ્રાંગધ્રા શહેરમાં જાહેરસભા યોજાઈ હતી. આ જાહેરસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર હાજર રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી આઈકે જાડેજા, સાંસદ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા, ભાજપ ઉમેદવાર પ્રકાશ વરમોરા, ધારાસભ્ય પરસોતમ સાબ્રરીયા, પૂર્વ પંચાયત મંત્રી જેન્તીલાલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


 



આ દરમિયાન કેન્દ્ર મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોંગ્રેસ અને આમ આદમી પા્ટી ઉપર પ્રહાર કર્યા હતા. પ્રકાશ વરમોરાને જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રચાર કાર્યકમો માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી અને કોંગ્રેસનું અસ્તિત્વ પૂર્ણ થવાને આરે છે. 


આજથી ભાજપનો ‘કાર્પેટ બોમ્બિંગ’ પ્રચાર


 વિધાનસભાની ચૂંટણીને લઈને આઝથી ભાજપ ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે. જેમાં એક વખતે એક નવી પ્રચાર રણનીતિ અમલી બનાવવાા ભાગરૂપે પ્રથમ તબક્કાની 89 પૈકી 82 બેઠકો પર ભાજપ ઈતિહાસમાં પ્રથમવાર એક સાથે જાહેર સભા યોજીને પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. આજે રાજ્યના 82 મતવિસ્તારોમાં ભાજપના સ્ટાર પ્રચારકો, રાષ્ટ્રીય નેતાઓ સહિતના મહાનુભાવો વિશાળ જનસભા સંબોધશે.


ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન, કેન્દ્રીય મંત્રી મંડળ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ, દેશના વિવિધ લોકસભા વિસ્તારના સાંસદો મળીને કુલ 14 મહાનુભાવો 46 વિધઆનસભા મતવિસ્તારમાં અને ભાજપ પ્રદેશ પ્રમુખ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ કેબિનેટ મંત્રીઓ રાજ્યના સાંસદો તેમજ સંગઠનના હોદ્દેદારો મળીને કુલ 14 મહાનુભાવો 36 વિધાનસભા વિસ્તારમાં પ્રચાર-પ્રસાર કરીને વિશાળ જનસભાને સંબોધશે.


જેમાં ભાજપના સ્ટાર પ્રચારક એવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, નરેન્દ્ર તોમર, અનુગાર ઠાકુર જનરલ વી.કે.સિંહ, મનસુખ માંડવીયા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હેમંત શર્મા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી, ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા. લદાખ લોકસભા વિસ્તારના સાંસદ જમ્યાંગ નામગ્યાલ વિશાળ જનસભા ગજવશે.. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ પરસોત્તમ રૂપાલા, પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી વજુભાઈ વાળા, આર.સી.ફળદુ, ગણપત વસાવા, પરસોત્તમ સોલંકી સહિતના નેતાઓ અને મંત્રી ભાજના ઉમેદવારોના સમર્થનમાં જનસભાને સંબોધશે.


ગુજરાતની ચૂંટણીમાં ભાજપ સૌપ્રથમવાર એક સાથે 82 બેઠકોના મતવિસ્તારોમાં સામૂહિક જનસભા સંબોધન કરશે. જેને લઈને ભાજપે વિશેષ આયોજન પણ કર્યું છે. જે માટે ખાસ પ્રકારે કાર્યકરો, સ્થાનિક આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે.