શાળાના સંચાલકો દ્વારા મળતી માહિતી અનુસાર સિહોરમાં ગત રાત્રીના વરસાદ આવેલ હોય તેમજ આજ સવારના પણ વરસાદી વાતાવરણને કારણે શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાયેલ હોય અને આજે રમોત્સવ દરમિયાન રિશેસમાં બાળકો ભોજન કરી રહ્યા હતા. તે સમયે અચાનક આ દીવાલ ઘસી પડી હતી.
શાળાની કમ્પાઉન્ડની દીવાલ ધોરણ ૩માં અભ્યાસ કરતા 8 વર્ષના રવિ અરવિંદભાઈ સોલંકી પર પડતા વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીને સારવાર અર્થે સિહોર સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં પ્રાથમિક સારવાર બાદ વિદ્યાર્થીની સ્થિતિ અતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે ભાવનગર સરકારી હૉસ્પિટલ ખસેડવામાં આવેલ. ભાવનગર સરકારી હૉસ્પિટલ સારવાર અર્થે લાવેલ વિદ્યાર્થીને હૉસ્પિટલના ફરજ પરના ડૉક્ટર દ્વારા તપાસીને મૃત જાહેર કરેલ.