ગાંધીનગર: પીએમ મોદીએ તેમના 67માં જન્મ દિવસ નિમિત્તે માતા હિરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જ્યાં પ્રોટોકોલ તોડીને સુરક્ષા વિના માત્ર બે જ ગાડીના કાફલા સાથે પીએમ રાયસણમાં ભાઈ પંકજ મોદીના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમના માતા રહે છે. મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ ખાસ ટ્વિટ કર્યુ હતું.


પીએમ મોદીએ ટ્વિટ કર્યુ હતું કે, માતાની મમતા, માતાના આશીર્વાદ જીવન જીવવાની જડીબુટ્ટી છે.





અહીં તેમણે હિરાબાને પગે લાગી જન્મદિવસે આશીર્વાદ લીધા હતા અને તેમની સાથે બેસીને વાતો કરી હતી.