ટ્રેન્ડિંગ

'ઓપરેશન સિંદૂર' થી ભારતને શું મળ્યું; અમેરિકા-રશિયા પણ આજસુધી નથી કરી શક્યા આવું કામ

Ahmedabad Dog Attack News: અમદાવાદમાં પાલતું શ્વાને કાળો કેર વર્તાવ્યો, 4 મહિનાની બાળકીનું મોત

'આ તો ક્લિયર કટ ભારતની જીત છે', -દુનિયાના સૌથી મોટા મિલિટ્રી એક્સપર્ટે PAK ને બતાવ્યો અરીસો, સિઝફાયર પર મુનીર-શાહબાઝની પોલ ખોલી

Gold Rate Today: સતત બીજા દિવસે સોનાના ભાવમાં મોટો કડાકો, જાણો લેટેસ્ટ કિંમત

મોંઘવારીના મોરચે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર, રિટેલ મોંઘવારી 6 વર્ષના નીચલા સ્તરે
અમદાવાદમાં પાલતુ શ્વાને કાળો કેર વર્તાવ્યો, 4 મહિનાની બાળકીને ફાડી ખાતા મોત
ગુજરાતનાં ક્યા નક્ષત્રના કારણે 30 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે ગાજવીજ સાથે વરસાદ ? 12 ઓક્ટોબરથી કાળઝાળ ગરમી, 42 ડીગ્રી તાપમાન થશે
30 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધીમાં હાથીયો ગુજરાતના ઘણાં ભાગોમાં ગાજવીજ સાથે વરસે તેવી સંભાવના છે. આ ઉપરાંત 9 ઓક્ટોબરથી 12 અને 17 ઓક્ટોબરમાં પણ ઘમાં ભાગો વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે
Continues below advertisement

પ્રતિકાત્મત તસવીર
અમદાવાદ: હાલ ગુજરાતમાં ઘણી જગ્યાએ છૂટાછટાવા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે ત્યારે નૈઋત્યનું ચોમાસુ હવે તારીખ 28એ સોમવારથી વિદાય લેવાનું શરૂ કરશે તેમ હવામાન વિભાગમાંથી જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં ચોમાસાની વિદાય જમ્મુ-કાશ્મીર, હિમાચલ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી શરૂ થશે તેવું લાગી રહ્યું છે. જોકે ભારતના દક્ષિણ છેડેથી નૈઋત્યના ચોમાસાની હજુ ઘણી વાર છે. હાથીયાની ગર્જના આગલા વર્ષે ચોમાસું સારું આવે તેમ માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતના એક જાણીતા અખબારના જણાવ્યા પ્રમાણે, 30 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધીમાં હાથીયો ગુજરાતના ઘણાં ભાગોમાં ગાજવીજ સાથે વરસે તેવી સંભાવના છે. આ ઉપરાંત 9 ઓક્ટોબરથી 12 અને 17 ઓક્ટોબરમાં પણ ઘમાં ભાગો વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. 9 ઓક્ટોબરથી 12 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરના પૂર્વ ભાગ અને ભારતના દક્ષિણ છેડે હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા જોવા મળી રહે છે.
12 ઓક્ટોબરથી તાપ પડે અને ઓક્ટોબર મહિનામાં રાજસ્થાનના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું થવાની શક્યતા જોવા મળી રહ્યું છે. ઓક્ટોબર મહિનામાં ડાંગ, વલસાડ, નવસારી, સુરતના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 36 ડિગ્રી સેલ્સિયસ, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણના ભાગોમાં 38 ડિગ્રી, જુનાગઢ, ભાવનગર, અમરેલીના ભાગોમાં 37 ડિગ્રી સેલ્સિયસ, મધ્ય ગુજરાતના ભાગોમાં 37 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા છે.
આ ઉપરાંત 13 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત ફુંકાય તેવી સંભાવના છે. જેની અસર આંધ્રપ્રદેશ, ઓરિસ્સા તેમજ ભારતના દક્ષિણ છેડે રહેવાની શક્યતા છે. નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે. નવેમ્બર મહિનામાં દિવસનો તાપ આકરો રહેશે. પાછલી રાત્રિના ભાગોમાં ઠંડા પવન ફૂંકાશે તેવું લાગી રહ્યું છે.
Continues below advertisement