અમદાવાદઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લઈને રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં કામ કરતા પ્રવાસી શિક્ષકોની મુદત વધુ એક વર્ષ માટે લંબાવી દીધી છે. પ્રવાસી શિક્ષકોની નિમણૂક 31 માર્ચ, 2020 સુધીના સમય માટે કરાઈ હતી પણ હાલની સ્થિતીને કારણે પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા યોગ્ય નહીં હોવાથી પ્રવાસી શિક્ષકોની નિમણૂક 31 માર્ચ 2021 સુધી લંબાવાઈ છે.


આ ઉપરાંત ગુજરતા સરકારે જાહેરાત કરી છે કે, ધોરણ 9 થી ધોરણ 12નો અભ્યાસ ચાલતો હોય એવી ગ્રાન્ટેડ શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી હવે શાળાઓ પોતે કરી શકશે. રાજ્ય સરકારે શિક્ષકોની ઘટને પહોંચી વળવા વર્ષ 2015થી પ્રવાસી શિક્ષક યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત પ્રવાસી શિક્ષક પ્રવાસ કરીને અલગ અલગ સ્કૂલોમાં નિશ્ચિત વિષય ભણાવે છે.