કોવીડ-19 પરિસ્થિતીમાં ભારત સરકારના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા વધુ એક એડવાઈઝરી ઇશ્યૂ કરવામાં આવી છે. આ એડવાઈઝરી વાહન અને વાહન ચલાવનાર સંબંધિત દસ્તાવેજ બાબત છે. એડવાઈઝરી પ્રમાણે વાહન અને લાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી તા 31/12/2020 સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવેલ છે. આ દસ્તાવેજોમાં વાહનનું ફીટનેશ, ડ્રાઈવીંગ લાયસન્સ, આર.સી. બુક, પરમીટ વગેરેનો સમાવેશ થાય છે.
એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન એન્ફોર્સમેન્ટ અધિકારી/કર્મચારીઓએ એડવાઈઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે. વધુમાં શિખાઉ લાયસન્સ સંબંધિત છ માસની સમયમર્યાદા બાદ શિખાઉ લાયસન્સની પુનઃ શિખાઉ લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી માટે અરજદારે ફકત વાહનના પ્રકાર સંબંધિત શિખાઉ લાયસન્સ ફી ભરવાની રહેશે. અન્ય તમામ ફી જેવી કે, સ્માર્ટકાર્ડ-અરજી ફી વિગેરે Carry Forward થશે એમ વાહન વ્યવહાર કમિશનરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.