ગુજરાતમાં ક્યારથી શરૂ થશે વધારે ઠંડી? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Dec 2019 10:19 AM (IST)
ગુજરાત પરથી સાયક્લોનિક સરક્યુલેશન નબળું પડ્યું છે અને પવનની દિશા ઉતર-ઉતરપૂર્વ તરફની થઈ છે જેના કારણે આજથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે
GURUGRAM, INDIA - FEBRUARY 7: Commuters wear warm clothes on a cold winter morning at Sector 29 , on February 7, 2019 in Gurugram, India. Delhi and adjoining areas of Noida, Ghaziabad witnessed heavy rains accompanied with hailstorm on Thursday afternoon. Intermittent rains and hailstorm have brought the mercury further down in the national capital region which has already been feeling the chill since past few days. (Photo by Yogendra Kumar/Hindustan Times via Getty Images)
અમદાવાદ: ગુજરાત પરથી સાયક્લોનિક સરક્યુલેશન નબળું પડ્યું છે અને પવનની દિશા ઉતર-ઉતરપૂર્વ તરફની થઈ છે જેના કારણે આજથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. ગુજરાતમાં સુકા અને ઠંડા પવનો ફૂંકાવવાના કારણે લઘુતમ તાપમાન ઘટતાની સાથે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થશે અને લોકોને શિયાળાની ઠંડીનો અહેસાસ થશે. ડિસેમ્બરમાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતા 3થી 4 ડિગ્રી ઉંચુ છે. જેના કારણે ઠંડીનો અહેસાસ થતો નથી. પરંતુ આજથી પવનની દિશા બદલાતાની સાથે ઠંડીનુ પ્રમાણ વધશે. જોકે હાલ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, આજથી લઘુતમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી લઘુતમ તાપમાન ઘટશે અને ઠંડીનુ પ્રમાણ વધશે. ગુજરાતમાં નવેમ્બરના અંતથી લઘુતમ તાપમાન ઘટવા લાગે છે. મહત્વની વાત છે કે, ચાલુ વર્ષે એક બાદ એક સિસ્ટમ સક્રિય થવાના કારણે તાપમાનમાં ઘટાડો થયો નથી અને ગુરૂવારે ઉતર ગુજરાત અને કચ્છના કેટલાંક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો જેના કારણે ખેડુતોને ભારે નુકસાન થયું છે. પરંતુ સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ નબળી પડી ગઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત પરથી વાદળો હટી જશે અને પવન ઉતર-ઉતરપૂર્વના ફૂંકાશે જેના કારણે લઘુતમ તાપમાન ઘટશે. આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા છે અને નલિયાનું લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયુ છે.