ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 485 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 2 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4369 પર પહોંચ્યો છે.


આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ

રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ અને વલસાડ જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા ન હતા. નવસારી, મહિસાગર, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 709 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.98 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,67,612 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.