ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 335 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 1 મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4385 પર પહોંચ્યો છે.
આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં આજે બનાસકાંઠા, જામનગર, નવસારી અને તાપી જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા ન હતા. અમરેલી, ભાવનગર, મહિસાગર અને પાટણમાં 1-1 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 463 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 96.94 ટકા છે. રાજ્યના અત્યાર સુધીમાં કુલ 2,12,737 વ્યક્તિનું રસીકરણ થયું છે.
ગુજરાતના આ 4 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો, જાણો સૌથી ઓછા કેસ કયા જિલ્લામાં નોંધાયા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jan 2021 10:16 PM (IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 335 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 1 મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4385 પર પહોંચ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -