પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમના નિવાસસ્થાને મુલાકાત લેતા વીરપુર તેમજ મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં મોટા ભંગાણના અણસાર જોવા મળી રહ્યા હતા. વીરપુર તાલુકાના કોંગ્રેસના તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે જીતુ વાઘાણીની મુલાકાતથી પિનાકીન શુક્લ કોંગ્રેસને રામ રામ કરે તેમ જાણવા મળ્યું હતું અને આ સાથે વીરપુર તાલુકા પંચાયત કોંગ્રેસ ગુમાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા હતા. પરંતુ મુકેશ શુક્લના નિવાસે કાર્યકરો તેમજ પ્રદેશ પ્રમુખ અને મુકેશ શુક્લ પિનાકીન શુક્લની ગુપ્ત બેઠક પણ યોજાઈ હતી અને તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યો સાથે પણ મુલાકાત થઈ હતી.
કડાચલા ગામે યોજાયેલ પ્રચાર સભામાં જીતુ વાઘાણીના હસ્તે પિનાકીન શુક્લ તેમજ તાલુકા પંચાયત કોંગ્રેસ સદસ્ય નાનસિંહ સોલંકી, પ્રદીપ શેઠ, સોનલબેન પરમાર, નવનીત પટેલ સહિત કેસરિયો ધારણ કરતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આ સાથે વીરપુર તાલુકા પંચાયતના ચાર સભ્યોએ ભાજપમાં પ્રવેશ કરતાં વીરપુર તાલુકા પંચાયત પણ કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે.