ગાંધીનગરઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્ય સરકારના મંત્રીઓને પ્રભારી તરીકે

  જિલ્લાઓની ફાળવણ કરી છે. આ ફાળવણીમાં સૌથી મહત્વની ફાળવણી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના જિલ્લામાં કરાઈ છે. રાજ્યના શિક્ષણ મંત્રી અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે. સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી તરીકે પાટિલની નજીકના કોઈ મંત્રીની નિમણૂકની અપેક્ષા હતી. તેના બદલે વાઘાણીને પ્રબારી બનાવાતાં આશ્ચર્ય સર્જાયું છે.


રાજ્યના ક્યા જિલ્લામાં ક્યા મંત્રીને પ્રભારી બનાવાયા તેની વિગતો નીચે પ્રમાણે છે.


રાજેન્દ્ર ત્રિવેદી - અમદાવાદ અને ખેડા
જીતુ વાઘાણી - નવસારી અને સુરત
ઋષિકેશ પટેલ - ગીરસોમનાથ અને જૂનાગઢ
પૂર્ણેશ મોદી - રાજકોટ અને મોરબી
રાઘવજી પટેલ - ભાવનગર અને બોટાદ
કનુ દેસાઈ - જામનગર અને દેવભુમિ દ્વારકા
કિરિટસિંહ રાણા - બનાસકાંઠા અને પાટણ
નરેશ પટેલ - વડોદરા અને છોટાઉદેપુર
પ્રદિપ પરમાર - સાબરકાંઠા અને અરવલ્લી
અર્જૂનસિંહ ચૌહાણ - મહેસાણા
હર્ષ સંઘવી - ગાંધીનગર
જગદીશ પંચાલ - નર્મદા
બ્રિજેશ મેરજા - અમરેલી
જીતુ ચૌધરી - દાહોદ
મનીષા વકિલ - મહિસાગર
મુકેશ પટેલ - ભરૂચ
નિમીષા સુથાર - ડાંગ
અરવિંદ રૈયાણી - કચ્છ
કુબેર ડીંડોર - તાપી
કિર્તીસિંહ વાઘેલા - વલસાડ
ગજેન્દ્રસિંહ પરમાર - આણંદ
રાઘવભાઈ મકવાણા - પોરબંદર
વિનોદ મોરડીયા - પંચમહાલ
દેવા માલમ – સુરેન્દ્રનગર


આજથી ગુજરાત વિધાસભાનું બે દિવસનું ચોમાસું સત્ર શરૂ


વિધાનસભાના ટુંકા ચોમાસુ સત્રનો આજે પ્રથમ દિવસ છે. આજે 12 વાગ્યે સત્રની શરુઆતમા જ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ અધ્યક્ષ તરીકે નિમાબેનની વરણીનો પ્રસ્તાવ મુકશે. બાદમા એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે, જેમા શહેરી વિકાસ, મહેસુલ, પાણી પુરવઠા, વાહન વ્યવહાર, કૃષિ, રોજગાર અને ગૃહ વિભાગની પ્રશ્નોત્તરી યોજાશે. પ્રશ્નોત્તરી કાળ બાદ દિવંગત 19 સભ્યોને શ્રધ્ધાંજલી અપાશે. અલગ અલગ બોર્ડ નિગમના અહેવાલો મેજ પર મુકાશેય ત્યાર બાદ વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટેની ચુંટણી યોજાશે. ભાજપ તરફથી જેઠાભાઈ ભરવાડ અને કોંગ્રેસથી અનિલ જોશીયારાએ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ છે. છેલ્લે સરકારી વિધેયકો ગૃહમાં રજુ થશે.