નવી દિલ્લીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝની પ્રથમ મેચ ગુરુવારથી કાનપુરમાં રમાશે. ટોસ સાથે જ ભારત 500 ટેસ્ટ મેચ રમનારા દેશોની યાદીમાં શામેલ થઇ જશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા 28 વર્ષથી કીવિઓ સામે ઘર આંગણે હાર્યું નથી. આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં હજુ 110 પોઇન્ટ સાથે બીજા ક્રમે રહેલ ભારત કોઇ પણ અંતરથી સીરિઝ જીતી તો નંબર વન બની જશે. તેથી આ શ્રેણી જીતીને ટેસ્ટ રેકિંગમાં નંબર બનવાની ભારત પાસે મોટી તક છે.