મહારાષ્ટ્રમાં 62228 કોરોના પોઝિટિવ કેસ
દેશના અન્ય રાજ્યોની તુલનામાં મહારાષ્ટ્રની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 116 લોકોનાં મોત નિપજ્યાં છે. આ એક દિવસના સૌથી વધારે લોકોનાં મોતનો આંકડો છે. 30 મેના રોજ મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2682 કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે જ્યારે 116 લોકોના મોત નિપજ્યાં છે.
મહારાષ્ટ્રમાં કુલ કોરોના સંક્રમિત કેસ 62 હજારની પાર થઈ ગયા છે. રાજ્યમાં કુલ 62,228 કેસ નોંધાયેલા છે. મોતનો આંકડો 2 હજારની પાર થઈ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે 2098 લોકોના મોત નિપજ્યાં છે.