History of 21 December: આજે 21 ડિસેમ્બર છે, આજેથી ઠીક 10 દિવસ બાદ નવા વર્ષની શરૂઆત થઇ જશે, અને નવુ વર્ષ નવી ઇબાદલ લખશે. પરંતુ નવા વર્ષથી પહેલા જો આ વર્ષની વાત કરીએ તો ઘણુબધુ જાણવા મળશે. આજનની તારીખની જ વાત કરીએ તો તમને ઘણુ મળશે. આ દિવસે ઐતિહાસિક પળોને સમેટીને બેઠો છે. જાણો આજના દિવસનો ઇતિહાસ, એટલે કે 21 ડિસેમ્બરનું શું છે મહત્વ............. 


21 ડિસેમ્બરે કેટલીય એવી ઘટનાઓ ઘટી છે, જેને દેશ દુનિયા પર અસર કરી છે, અને આજે તેને યાદ પણ કરવામાં આવે છે. 21 ડિસેમ્બર સાયન્સની દુનિયા માટે ખુબ ખાસ છે, વર્ષ 1898 માં આજના જ દિવસે મૈરી ક્યૂરી અને તેના પતિ પિયરેએ રેડિયમની શોધ કરી હતી, ખનિજનું અધ્યયન કરતા કરતાં જ્યારે તેમને તેમાંથી યૂરેનિયમને અલગ કરી દીધુ તો, ખબર પડી કે બાકી બચેલા ભાગમાં પણ હજુ કોઇ રેડિયોધર્મી તત્વ બાકી હતુ, તેમને આ તત્વને રેડિયમ નામ આપ્યુ. આ ઉપરાંત પણ બીજી ઘણી નાની મોટી ઘટનાઓ આજના દિવસે નોંધાયેલી છે. ચાલો એક નજર કરીએ આ ઘટનાઓ પર....


21 ડિસેમ્બરની ઐતિહાસિક ઘટનાઓ - 


1898 : રસાયન શાસ્ત્રી પિયરે અને મૈરી ક્યૂરીએ રેડિયમની શોધ કરી હતી. 
1910 : ઇંગ્લેન્ડના હુલટનમાં કોલસાની ખાણમાં થેયલા વિસ્ફોટમાં 344 શ્રમિકોના મોત થયા હતા.
1914 : અમેરિકામાં પહેલી મૂક હાસ્ય ફિચર ફિલ્મ “તિલ્લીસ પંચર્ડ રોમાન્સ” રિલીઝ થઇ હતી. 
1931 : આર્થર વેનનો બનાવ્યો દુનિયાનો પહેલો ક્રૉસવર્ડ ‘ન્યૂયોર્ક વર્લ્ડ’ છાપામાં પ્રકાશિત થયુ હતુ. 
1949 : પૉર્ટુગલ શાસકોએ ઇન્ડોનેશિયાને સંપ્રુભુ રાષ્ટ્ર જાહેર કર્યુ હતુ. 
1952 : સૈફુદ્દીન કિચલૂ તત્કાલિન સોવિયત સંઘના લેનિન શાંતિ પુરસ્કાર મેળવનારા પહેલા ભારતીય બન્યા હતા.
1963 : જાણીતા ફિલ્મ અભિનેતા ગોવિંદાનો જન્મ થયો હતો. 
1974 : પનડુબ્બીના સંચાલનનું ટેસ્ટિંગ આપનારી પહેલી સંસ્થા આઇએનએસ સતવાહન વિશાખાપટ્ટનમમાં ખુલી હતી. 
1975 : મેડાગાસ્કરમાં બંધારણ લાગુ થયુ હતુ. 
2011 : દેશના જાણીતા પરમાણું વૈજ્ઞાનિક પી કે આયંગરનું નિધન થયુ હતુ. 


 


MP Elections: મધ્યપ્રદેશમાં પણ BJP ગુજરાતવાળી કરી શકે છે, આવતા વર્ષે યોજાશે વિધાનસભાની ચૂંટણી


BJP Madhya Pradesh Election Plan: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે ભાજપ (BJP) ગુજરાતની વ્યૂહરચના લાગુ કરી શકે છે. પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર, ભાજપ મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં સત્તા વિરોધી લહેરનો અંત લાવવા, નેતાઓ વચ્ચેના મતભેદોને ઉકેલવા અને મતદારોની નવી પેઢી સાથે જોડાણ વધારવા માટે વ્યાપક વ્યૂહરચના બનાવી રહી છે.


હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ નવી મંત્રી પરિષદ લાવવામાં આવશે તેવી અટકળો વચ્ચે ભાજપના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પાર્ટીએ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવા માટે પાર્ટી 40 થી 45 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે.


ભાજપ મતદારો અને સમુદાયો વચ્ચે મજબૂત પહોંચ બનાવશે


અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભાજપની આવી સંભવિત વ્યૂહરચના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ઘરઆંગણે ગોઠવવાની સૂચના અને ચૂંટણીમાં જીત માટે ગુજરાત એકમના વખાણને પગલે આવી છે. ગયા અઠવાડિયે બીજેપી સાંસદોની બેઠકમાં પીએમ મોદીએ 182માંથી 156 સીટો જીતવા બદલ ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલના વખાણ કર્યા હતા.


અહેવાલમાં એક વરિષ્ઠ કાર્યકર્તાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આગામી અઠવાડિયામાં, ભાજપ મધ્યપ્રદેશમાં મતદારો સાથે સંપર્ક વધારવા, સમુદાયો વચ્ચે નક્કર પહોંચ અને મતદારોને પ્રોત્સાહિત કરવા માટે બૂથ સમિતિઓને પુનઃજીવિત કરવાના પ્રયાસો બમણા કરશે.