નવી દિલ્હી: કેરળમાં 7 ઓગસ્ટના રોજ કોઝિકોડ એરપોર્ટ દુર્ઘટનામાં બંને પાઇલટ્સ સહિત 18 લોકોનાં મોત થયા હતાં. એર ઇન્ડિયાના આ વિમાનમાં 190 લોકો સવાર હતા. આ ઘટના સાથે ભારતમાં આઝાદી બાદ અત્યાર સુધીમાં કમર્શિયલ એરલાઈન્સ દુર્ઘટનામાં મરનારાઓની સંખ્યા 2173 થઈ ગઈ છે. હિંદુસ્તાન ટાઈમ્સની એક રિપોર્ટ અનુસાર, પાલયટ એક્શન તથા નિર્ણયની ભૂલના કારણે 80 ટકા અકસ્માતો થયા છે.


રિપોર્ટમાં વિશ્લેષણ એવિએશન સેફ્ટી નેટવર્કના ડેટા પર આધારિત છે. જેમાં પેસેન્જર ફ્લાઈટ્સ અને તે દુર્ઘટનાઓને સામેલ કરવામાં આવી છે જેમાં ઓછામાં ઓછા એક પેસેન્જર કે ક્રુ મેમ્બરનું મોત થયું હોય.

કોઝિકોડ એરપોર્ટ દુર્ઘટના સ્વતંત્ર ભારતની 52મી કમર્શિયલ એરલાઈન દુર્ઘટના હતી, આમ તો 100થી વધુ અકસ્માત થયા છે, પરંતુ તેમાં જીવલેણ નહોતા. 52 જીવલેણ અકસ્માતોમાં 40 ભારતીય વિમાન અને 12 વિદેશી વિમાન હતા.

2011-2020 સૌથી સુરક્ષિત દાયકો

સ્વતંત્ર ભારતમાં હવાઈ દુર્ઘટનાઓમાં 2011થી 2020નો દાયતકો અત્યાર સુધીનો સૌથી સલામત સમય રહ્યો છે. કોઝિકોડમાં આ મહીનાની હવાઈ દુર્ઘટના એકમાત્ર યાત્રી વિમાન અકસ્માત હતો, જેમાં આ દાયકમાં વધુ સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો

ગત દાયકામાં (2001-2010) માં માત્ર એક દુર્ઘટના સર્જાઈ, 2010માં મેંગલોરમાં એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ ક્રેશ થતાં 166 લોકોમાંથી 158 લોકો માર્યા ગયા હતા. આ પહેલા 1991-2000માં સાત ઘટનામાં 552 લોકો મૃત્યુ પામ્યા હતા. હરિયાણામાં હવામાં બે વિમાન ટકરાવાથી 349 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

વિમાન ટેક્નોલોજી સમય સાથે બદલાઈ તેથી હવાઈ અકસ્માતોનું કારણ પણ બદલાયું છે. 1951 થી 1980 ની વચ્ચેના 30 વર્ષોમાં 34 જીવલેણ હવાઈ અકસ્માત થયાં. આમાંથી, જેમાં પાયલટની ભૂલના કારણે 20 અથવા લગભગ 59 ટકા અકસ્માતોમાં એક કારણ અથવા કોન્ટ્રીબ્યૂટિંગ ફેક્ટર હતું.

1981 અને 2010 ની વચ્ચે આગલા 30 વર્ષમાં 13 જીવલેણ હવાઈ દુર્ઘટના થઈ હતી અને તેમાંના 12 અથવા 92 ટકા આકસ્મિક રીતે પાયલોટ હતા. પાઇલટના ખામીને લીધે જીવલેણ અકસ્માતોમાં વધારો થવાનું કારણ એ પણ છે કારણ કે હવે નાના અકસ્માતો તકનીકી અથવા માળખાગત નિષ્ફળતાને કારણે થઈ રહ્યા છે.

વિશ્વભરમાં 1990માં 20 ટકા અકસ્માતો માનવ ભૂલને કારણે 20 ટકા અને હાલમાં માણસની ભૂલના કારણે વિશ્વભરમાં 80 ટકા હવાઈ અકસ્માત થયા છે.