રાંચીઃ ઝારખંડના સરાયકેલામાં નક્સલી હુમલામાં પાંચ પોલીસ જવાન શહીદ થયા છે. પોલીસ જવાનો  પેટ્રોલિંગ કરી પાછા ફરી રહ્યા હતા તે સમયે નક્સલીઓએ હુમલો કર્યો હતો. હુમલા બાદ  નક્સલીઓએ પોલીસ જવાનોના હથિયારો પણ લૂંટ્યા હતા.


એક રિપોર્ટ  અનુસાર, આ ઘટના શુક્રવારે સરાયકેલાના  તિરુલડીગ  પોલીસ સ્ટેશન વિસ્તારની છે. નક્સલીઓએ પોલીસ વાન  પર ફાયરિગ કર્યું હતું. નક્સલીઓ અગાઉથી યોજના બનાવી પોલીસ વાનની  રાહ જોઇ રહ્યા હતા. નક્સલીઓએ ઘેરાબંધી કરી પોલીસ જવાન પર ફાયરિગં કર્યું હતું. પોલીસના જવાબમાં  કેટલાક નક્સલીઓ ઇજાગ્રસ્ત થયાની જાણકારી મળી રહી છે. હુમલામાં બે એએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલ  સહિત  પાંચ  જવાનો શહીદ થયા હતા.