Accident News: બિહારના લખીસરાયમાં મંગળવારે સવારે એક ભીષણ દુર્ઘટનામાં છ લોકોના ઘટના સ્થળે જે મોત થયા છે. ટ્રક અને સુમોની ટક્કર બાદ અફડાતફડી મચી હતી. આ ઘટના લખીસરાય જિલ્લાના સિકંદરા શેખપુરા એનએચ-333 પર હલસી પોલીસ સ્ટેસનના પિંપરા ગામ નજીક બની હતી. મૃતકોમાં સામેલ તમામ લોકો સુમોમાં સવાર હતા. દુર્ઘટના બાદ મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ તેની સૂચના હલસી પોલીસને કરી હતી.

આ ભીષણ દુર્ઘટના બાદ ચાર શબ સડક પર જ પડ્યા હતા., જ્યારે બે લોકોના શબ સૂમોમાં ફસાઈ ગયા હતા. મૃતકો જમુઈ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકો પટના આવી રહ્યા હતા ત્યારે સિકંદરા શેખપુરા એનએચ-333 પર આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં બે મહિલાઓ પણ સામેલ છે. ટ્રક એલપીજી સિલિન્ડર લઈને જતો હતો. ઘટના બાદ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

હાલ તમામ મૃતકોની ઓળખ કરરવામાં આવી રહી છે. આ લોકો એક જ પરિવારના હતા કે અલગ-અલગ તે માહિતી મેળવવામાં આવી રહી છે. સુમો અને ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે સુમોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

Amreli : કારે બાઇક સાથે દંપતીને હવામાં ફંગોળ્યા, પતિની નજર સામે જ પત્નીનું મોત

બાબરા નજીક રાજકોટ-ભાવનગર હાઇવે પર કારે ટક્કર મારતાં બાઇક પર જઈ રહેલા દંપતીમાંથી પત્નીનું મોત નીપજ્યું છે. આ અકસ્માતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. બાઇક ચાલકને કારે જોરદાર ટક્કર મારી હતી. પાછળથી જોરદાર ટક્કર મારી બાઇકને કેટલાય ફૂટ સુધી ઉલાળી હતી.  આ ઘટનામાં પતિની સામે જ પત્નીનું મોત નીપજ્યું છે. થોડા દિવસ પહેલા બનેલી ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. હચમચાવતો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે.

ગત 11મી નવેમ્બરે બાબરા નજીક રાજકોટ ભાવનગર હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જસદણથી મોટરસાયકલ લઈને આવતા વૃદ્ધ દંપતીને પાછળથી કારે જોરદાર ટક્કર મારી હતી. પતિ સામે પત્નીનું ઘટના સ્થળે મોત થયું તો પતિ ને ગંભીર ઇજાઓે પહોંચી હતી. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. જગદીશભાઈ પરવાડીયા અને ભાવનાબેન પરવાડીયા બંને જસદણથી પોતનાં ગામ જીઠુડી જતાં હતાં અને બાબરા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો.