જાણકારી અનુસાર આજે સવારે 8 વાગ્યે આ અકસ્માત થયો છે. સ્કૂલ વેનના ચાલકે બેદરકારીથી જોયા વિના રેલવે લાઈન પર વેન ચઢાવી દીધી હતી. આ જ સમયે આવી રહેલી ટ્રેન સાથે તેની ટક્કર થઈ ગઈ છે. આ ટક્કર એટલી મોટી હતી કે વાહનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ઘટનાસ્થળે પોલીસ અને રેલવેના અધિકારીઓ પહોંચી ગયા હતા. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ છે.
જે ટ્રેન સ્કૂલ વેન સાથે ભટકાઈ તે વારાણસી-ઈલાહબાદ પેસેન્જર ટ્રેન હતી.