Noida : ગૌમત બુદ્ધ નગરના જેવર નગરમાં સ્થિત એક બોગસ ડોક્ટર  દ્વારા ખોટા ઈન્જેક્શનને કારણે મહિલાના મોતના મામલામાં ડોક્ટર સહિત સાત લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આ બોગસ ડોક્ટરનું ક્લિનિક સીલ કરી દીધું છે.
 
ખોટા ઈન્જેક્શનને કારણે મહિલાનું મોત
પોલીસે તબીબની ધરપકડ કરવા માટે દરોડા પાડ્યા છે. પોલીસ કમિશનર આલોક સિંહના મીડિયા ઈન્ચાર્જ પંકજ કુમારે જણાવ્યું હતું કે જેવર શહેરમાં રહેતી રાખી (30 વર્ષ)ને ગુરુવારે સારવાર માટે જેવર શહેરમાં આવેલા ડૉક્ટર રાજેન્દ્રના ક્લિનિકમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરે મહિલાને ખોટું ઈન્જેક્શન આપ્યું, જેના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ.
 
કેસ દાખલ કરવામાં આવ્યો છે
પંકજ કુમારે જણાવ્યું કે મહિલાને સારવાર માટે કૈલાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં મહિલાનું મોત થયું હતું. મહિલાના મૃત્યુ બાદ તેના સંબંધીઓએ બોગસ  ડોક્ટરની ધરપકડ માટે જેવરમાં રસ્તો રોક્યો હતો.આ મામલે મૃતકના ભાઈ જીતેન્દ્રએ બોગસ  ડોક્ટર રાજેન્દ્ર અને તેના સાગરિતો કૈલાશ, હરિ, સુખદેવ, દીપક, ગુંજન, હરિઓમ વિરુદ્ધ જેવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે આ તમામ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
 
ક્લિનિકને સીલ કરી દેવામાં આવ્યું છે
ચીફ મેડિકલ ઓફિસર ડૉ. સુનિલ શર્માએ જણાવ્યું કે, બોગસ  ડૉક્ટરની સારવારને કારણે મહિલાના મૃત્યુની માહિતી મળ્યા બાદ આરોગ્ય વિભાગે જેવરમાં સ્થિત આ બોગસ ડૉક્ટરનું ક્લિનિક સીલ કરી દીધું છે. તેમણે કહ્યું કે આરોગ્ય  વિભાગ પોતાના સ્તરેથી આ મામલે કાર્યવાહી કરી રહ્યું છે.
 
ગાઝિયાબાદમાં ધોળાદિવસે બેન્ક લૂંટાઈ 
 ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોળા દિવસે એક બેંક લૂંટી લેવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ગાઝિયાબાદમાં છેલ્લા 5 દિવસમાં આ બીજી લૂંટની ઘટના છે, આ લૂંટ PNB બેંકમાં બપોરે કરવામાં આવી હતી અને લૂંટની આ ઘટના નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના નૂરપુર ગામની છે, જ્યાં લગભગ 4 બદમાશો આવ્યા હતા. હથિયારોથી સજ્જ બદમાશોએ હથિયારના જોરે બેંકના કેશિયર અને અન્ય બે કર્મચારીઓને લૂંટી લીધા હતા અને તેમની પાસેથી આશરે 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.