ટીચર હલદરે જણાવ્યું કે, 'હું ટ્રેનમાં હુગલી જઇ રહ્યો હતો. રસ્તાંમાં કેટલાક લોકો ટ્રેનમાં ચઢ્યા અને જય શ્રીરામના નારા લગાવવા લાગ્યા. ત્યારબાદ મને પણ નારો લગાવવાનુ કહ્યું. જ્યારે મે ના પાડી દીધી તે મને મારવા લાગ્યા. કોઇએ પણ મને બચાવ્યો નહીં. ટ્રેન પાર્ક સર્કસ સ્ટેશન પર ઉભી રહી તો તે લોકોએ મને ટ્રેનમાંથી ધક્કો મારીને બહાર ફેંકી દીધો. કેટલાક સ્થાનિકોએ મારી મદદ કરી હતી.'
ઘટનાને લઇને રેવલે પોલીસે જણાવ્યું કે, પીડિતને થોડી ઇજા થઇ છે. તેને ચિતરંજન હૉસ્પીટલમાં ભરતી કરાવાયો છે. પીડિતને યોગ્ય સારવાર મળી રહી છે. યાત્રા દરમિયાન તેની સાથે મારામારી થઇ છે. બે-ત્રણ લોકોએ તેની સાથે મારા મારી કરી હતી. ઘટનાની તપાસ ચાલુ છે. હજુ સુધી કોઇ પકડાયુ નથી.
મદરેસા ટીચર હલદરે જણાવ્યું કે, આ ઘટના ટ્રેન નંબર 34531માં ઘટી. આ પહેલા પણ દેશના અનેક હિસ્સાઓમાં 'જય શ્રીરામ' બોલવાને લઇને મુસ્લિમ યુવકો સાથે મારામારીની ઘટના સામે આવી ચૂકી છે.