આગામી ચૂંટણીઓ માટે AAP એ ઘડી રણનીતિ, કેજરીવાલ પંજાબ સંભાળશે
abpasmita.in | 12 Aug 2016 12:27 PM (IST)
નવી દિલ્લી: વિપશ્યનાથી પાછા ફરેલા દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરીથી સક્રિય થઈ ગયા છે. તેમને ગોવા, ગુજરાત અને પંજાબના આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની વચ્ચે રાજ્યોની જવાબદારીઓ વહેંચી દીધી છે. કેજરીવાલ પોતાની પાસે પંજાબનો કાર્યભાર પોતાની પાસે રાખે છે, ત્યાં નાયબમુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈનને ગોવાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટીને પોતાના માટે ઘણી સંભાવનાઓ નજર આવી રહી છે. ઉનામાં દલિત યુવકોની પીટાઈ પછી માત્ર કેજરીવાલ જ ગુજરાત આવ્યા નહોતા, પરતું મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા પછી તેમને એ પણ કહ્યું કે AAPની લોકપ્રિયતાથી ગભરાઈને તેમને રાજીનામું આપ્યું છે. હવે ગુજરાતમાં ચૂંટણીની તૈયારીની જવાબદારી આશુતોષ અને કપિલ મિશ્રાને સોંપવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે પાર્ટી નેતાઓને પોતાના રાજ્યમાં 1 સપ્ટેબરથી તૈયારી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેની સિવાય તેમને જે રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યાં મહીનામાં 10-15 દિવસ ગુજારવાનો આદેશ આપ્યો છે. આ ત્રણે રાજ્યોમાં આગલા વર્ષે ચૂંટણી થનાર છે. પંજાબમાં AAP જોરશોરથી ચૂંટણીની તૈયારીમાં લાગેલી છે, જ્યારે બાકી બન્ને રાજ્યો ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. કેજરીવાલ પોતે થોડા સમય પહેલા ગોવા પહોંચ્યા હતા. તેમને દાવો કર્યો હતો કે ગોવામાં પણ તેમની પાર્ટી માટે ઘણી મજબૂત સંભાવનાઓ છે.