નવી દિલ્હી: આમ આદમી પાર્ટી 2017માં થનાર ગુજરાત વિધાનસભાની ચુંટણી લડશે. સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, પાર્ટીના ટૉપ લીડરશિપે નિર્ણય લીધો છે કે, ડિસેમ્બર 2017માં થનાર વિધાનસભાની ચુંટણીમાં તે ગુજરાતની તમામ 182 સીટો ઉપર પોતાના ઉમેદવારો ઉતારશે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 9 જુલાઈથી ગુજરાતના સોમનાથ મંદિરથી પ્રચાર પસારની શરૂઆત કરશે. કેજરીવાલ 10 જુલાઈએ ગુજરાતના અલગ-અલગ સામાજિક સંગઠનો સાથે મુલાકાત કરશે અને તે વખતે ચૂંટણી લડવાની ઔપચારિક જાહેરાત પણ કરશે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચુંટણી લડવાનું મન આપ પહેલાથી બનાવી ચૂક્યું હતું. પરંતુ તે પંજાબ અને ગોવા ચુંટણીમાં પાર્ટીના પ્રદર્શન પછી ગુજરાતમાં ચુંટણી લડવાનો નિર્ણય લેશે. હવે પાર્ટીની ટૉપ લીડરશિપને લાગી રહ્યું છે કે, ચુંટણી લડવા અને જીતવા માટે અને તેના પ્રચારમાં ઘણા સમયની જરૂરત પડશે, એના લીધે આપ જલ્દીથી ગુજરાતમાં ચુંટણીનો પ્રચાર શરૂ કરવાનું મન બનાવી ચુક્યું છે.