Abhijit Banerjee on Freebies: નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ કહ્યું છે કે, ચૂંટણી પહેલા લોકોને રાહતો અને મફત ભેટો આપવી એ ગરીબોને મદદ કરવાનો શ્રેષ્ઠ માર્ગ નથી અને તેને શિસ્તબદ્ધ કરવાની જરૂર છે.


સરકારી ભેટો અને રાહતો અંગે ચિંતા વ્યક્ત કરી


અભિજિત બેનર્જીએ શનિવારે (5 નવેમ્બર) 'સારા અર્થશાસ્ત્ર, ખરાબ અર્થશાસ્ત્ર' વિષય પર આયોજિત કોન્ફરન્સમાં વિકાસલક્ષી અર્થશાસ્ત્ર, અર્થતંત્રનું વ્યવહારુ મોડલ, આજીવિકાની કટોકટી, સામાજિક સુરક્ષા અને કિંમતોની પ્રતિકૂળ અસરો અને રાહત પગલાં જેવા અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. . કોન્ફરન્સનું સંચાલન અર્થશાસ્ત્રી અને લેખક શ્રીયાન ભટ્ટાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ચૂંટણી સમયે આપવામાં આવતી સરકારી ભેટો અને રાહતો અંગે ચિંતા વ્યક્ત કરતા અભિજિત બેનર્જીએ કહ્યું કે, તેને અનુશાસન આપવું જરૂરી છે. તેમણે કહ્યું, “હવે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. પરંપરાગત અને અસમાન રીત એ હતી કે દેવું માફ કરવું કારણ કે સૌથી મોટા લેણદારો સૌથી ગરીબ નથી હોતા. તે સરળ રસ્તો હતો."


અભિજિત બેનર્જીએ આ પદ્ધતિ સૂચવીઃ


અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ કહ્યું કે, “ધનવાનો પર ટેક્સ લગાવવો એ સારો રસ્તો છે. ચૂંટણી પહેલાં મફતની છૂટ અને રાહતોની જાહેરાત કરવી એ ગરીબોને મદદ કરવાનો શ્રેષ્ઠ રસ્તો નથી. આપણે ત્યાં અસમાનતાઓ વધી રહી છે અને અમીરો પર ટેક્સ નાખવાની વાત થઈ રહી છે. અમીરો પર ટેક્સ નાખવાથી જ આ પૈસા કેન્દ્ર સરકાર પાસે જઈ શકે છે જ્યાંથી તેને આગળ વહેંચી શકાય છે.


બેરોજગારી કેમ વધી રહી છે?


ભારતમાં રોજગાર સંકટ સંબંધિત એક પ્રશ્ન પર, અભિજિત બેનર્જીએ કહ્યું કે, "સરકારની 'મેક ઇન ઇન્ડિયા' પહેલનો હેતુ સપ્લાય ચેનને મજબૂત કરવાનો છે. તેમણે કહ્યું કે સરકારી નોકરીનું સપનું એક ગંભીર સમસ્યા છે અને તેના કારણે 98 ટકા લોકો તેમના સપનાને પૂરા કરી શકતા નથી, જેના કારણે બેરોજગારોની સંખ્યા વધી રહી છે." આમ અભિજિત બેનર્જીએ સરકારી નોકરીના સપનાના કારણે બેરોજગારીની સમસ્યા વધતી હોવાનું કારણ ગણાવ્યું હતું.


આ પણ વાંચો.....


Gujarat Election 2022: રાજકોટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો