Anand Bazar Patrika Centenary: ABP News એ તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કર્યા છે, આ પ્રસંગે ચીફ એડિટર (Chief Editor) અને પ્રકાશક (Publisher) અતિદેબ સરકારે (Atideb Sarkar) એબીપી ન્યૂઝની શતાબ્દી ઉજવણીનું આયોજન કર્યું હતું.


નોબલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને વર્ણવી સફર ગાથા


આ પ્રસંગે નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને જણાવ્યું હતું કે આનંદબજાર પત્રિકાએ 100 વર્ષ પહેલા 1922માં અખબારની શરૂઆતથી જ ભારતીય મીડિયા (Indian Media) લેન્ડસ્કેપમાં હંમેશા હિંમતભરી અને સકારાત્મક ભૂમિકા ભજવી છે. વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આનંદબજાર પત્રિકાના શતાબ્દી સમારોહમાં ભાગ લેતા અમર્ત્ય સેને દેશમાં આનંદબજાર પત્રિકાની ભૂમિકા વિશે જણાવ્યું.


તેમણે કહ્યું કે આનંદ બજાર પત્રિકા એવા સમયે લોકો માટે આશાના કિરણ તરીકે ઉભરી આવે છે જ્યારે મજબૂત વિચાર સમયની જરૂરિયાત બની જાય છે. જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું, "આનંદબજાર પત્રિકાએ હંમેશા બોલ્ડ અને સકારાત્મક ભૂમિકા ભજવી છે. આજે પણ જ્યારે મજબૂત વિચારોની ખાસ જરૂર છે, ત્યારે આનંદ બજાર પત્રિકાની ભૂમિકા આપણને ફરી એકવાર આશા આપે છે." અમર્ત્ય સેને આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોને આનંદ બજાર પત્રિકાના લોન્ચિંગની વાર્તા પણ કહી.




આ રીતે આનંદ બજાર પત્રિકા શરૂ કરવામાં આવી હતી


આ પ્રસંગે જૂના દિવસોને યાદ કરતાં અમર્ત્ય સેને જણાવ્યું હતું કે, " પૂર્ણિમાનો દિવસ હતો અને પ્રથમ દિવસનું અખબાર લાલ રંગમાં છપાયું હતું. તે સમયે અગ્રણી અંગ્રેજી અખબાર ધ ઈંગ્લિશમેનમાં તે ચર્ચાનું કેન્દ્ર હતું. અખબારે નવા દૈનિક વિશે લખ્યું કે લાલ રંગ જોખમની નિશાની છે. વિખ્યાત અર્થશાસ્ત્રીએ જણાવ્યું કે આનંદબજાર પત્રિકા સાંપ્રદાયિક સૌહાર્દમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણા દેશમાં મહિલાઓની ગરીબી અને દુર્દશા દુઃખદ છે, આવી વાર્તાઓને નાગરિકો સુધી પહોંચાડવામાં આનંદબજારની ભૂમિકા મહત્વની રહી છે."


તેમણે વધુમાં જણાવ્યું હતું કે પચીસ વર્ષ પછી આનંદબજાર પત્રિકાની રજત જયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી અને તે પછી તેના સંપાદકીય પૃષ્ઠ પર ભારતની સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવી હતી. આનંદ બજાર પત્રિકાનો ઉદય પણ સ્વાતંત્ર્ય ચળવળમાં મહત્વની સિદ્ધિ તરીકે થયો હતો.




વર્ષ 1972 સુધીમાં ભારતીય પ્રેસની સામે સુરક્ષા સંકટ ઊભું થવા લાગ્યું. પેપર સર્ક્યુલેશનની દ્રષ્ટિએ તે દેશના 15 સૌથી મોટા અખબારોમાંનું એક હતું. તેમના સુવર્ણ જયંતી સંબોધનમાં, તત્કાલિન મુખ્ય સંપાદક અશોક કુમાર સરકારે કહ્યું હતું કે, 'પેપર મોટું બન્યું કારણ કે તે તેના વાચકોની સેવા કરતું હતું, શક્તિશાળીને નહીં.'


તેમણે કહ્યું, "આ પછી તે સમય પણ આવ્યો જ્યારે સંસ્થાએ તેની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી, ત્યારે ભારત તેની અર્થવ્યવસ્થામાં સુધારો કરી રહ્યું હતું. અખબારની એન્ટ્રી ટેલિવિઝનમાં થવાની જ હતી અને તત્કાલીન મુખ્ય સંપાદક અવેક સરકારે તેને નવી ઊંચાઈએ જવાનો માર્ગ મોકળો કર્યો. છેલ્લા પચીસ વર્ષોમાં, જૂથે એક નવું સાહસ કર્યું છે અને દર મહિને જમ્મુ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ટેલિવિઝન, ડિજિટલ, પ્રિન્ટ અને રેડિયો પર 300 મિલિયન ભારતીયો સુધી પહોંચે છે.



ચીફ એડિટર અતિદેબ સરકારે મહેમાનોનો આભાર માન્યો


આનંદ બજાર પત્રિકાના ચીફ એડિટર અને પ્રકાશક અતિદેવ સરકારે એબીપી ન્યૂઝના શતાબ્દી સમારોહમાં ભાગ લેનારા મહેમાનોનો આભાર માનતા કહ્યું કે, આ તમારા લોકોની બહાદુરી છે કે આપણે કટોકટીના સમયમાં પણ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, આ મીડિયા અને પ્રકાશન ક્ષેત્રે મહત્વપૂર્ણ શતાબ્દીનું વર્ષ છે. રીડર્સ ડાયજેસ્ટ, ફોરેન અફેર્સ મેગેઝિન 100 વર્ષનું થઈ ગયું. ટાઈમ મેગેઝિન તેના સોમા વર્ષમાં પ્રવેશી ચુક્યું છે, જ્યારે બીબીસીના પ્રથમ રેડિયો પ્રસારણને સો વર્ષ થયા છે. એલિયટના વેસ્ટલેન્ડ અને જોયસની યુલિસિસ પ્રકાશિત થયાને એક સદી થઈ ગઈ છે.




અતિદેબ સરકાર તેમના બે આઈકોન જાહેર કર્યા


અતિદેબ સરકારે ખાસ કરીને એવા નાયકોનો આભાર માન્યો કે જેમણે આ સમયગાળા દરમિયાન આનંદ બજાર પત્રિકાને સદીમાં ફેરવી દીધી. તેમણે કહ્યું કે, શ્રી ધ્રુબા મુખર્જી, શ્રી પ્રદિપ્તા બિસ્વાસ, શ્રી દેબદીપ લાલા, શ્રી અવિનાશ પાંડે અને શ્રીમતી રમા પોલ અને તેમની સંબંધિત ટીમોએ છેલ્લા પચીસ વર્ષથી જૂથ માટે કામ કર્યું છે. જેના કારણે  અખબારના વિસ્તરણ, ટેલિવિઝન વ્યૂઅરશિપ અને અમારા જૂથની પહોંચ વધી. અમારા ગ્રુપના ડેટા અને અંદાજો પ્રદાન કરવા માટે શ્રી સુબીર મિત્રાની બધી વિનંતીઓને ઉદારતાથી સામેલ કરવા માટે આભાર. હું મારા હીરો, મારી પત્ની ઐશ્વર્યા અને મારા પિતા અને ગુરુ શ્રી અરૂપ કુમાર સરકારનો ખૂબ જ ઋણી છું, જેમની પ્રેરણાથી હું ઊભો રહ્યો. તેમણે કહ્યું કે અહીં જે પણ ભૂલો થાય છે તે મારી એકલાની છે.