Madhya Pradesh Opinion Poll: મધ્યપ્રદેશમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. શિવરાજ સિંહ ચૌહાણના કામ અંગેનો ખરો નિર્ણય ચૂંટણીના પરિણામો પછી જ લેવામાં આવશે, પરંતુ તે પહેલા એબીપી ન્યૂઝ અને સી-વોટરે એક સર્વે દ્વારા મધ્યપ્રદેશના લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો છે કે મુખ્યમંત્રી તરીકે તેમની પ્રથમ પસંદગી કોણ છે. ચાલો જાણીએ કે આ અંગે જનતાનો શું અભિપ્રાય છે.
 
શું છે જનતાનો અભિપ્રાય ? 


એબીપી ન્યૂઝ સી-વોટરના સર્વે અનુસાર, શિવરાજ સિંહ ચૌહાણ અને કમલનાથ વચ્ચે સીએમ પદ માટે મધ્યપ્રદેશના લોકોની પસંદગી સમાન જોવા મળી હતી. જ્યારે મુખ્ય પ્રધાન તરીકે જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહ માટે કોઈ વધારે રસ જોવા મળ્યો નહોતો.
 
કોણ છે સૌથી આગળ


સર્વે અનુસાર 43 ટકા લોકોએ શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રી પદ માટે પોતાની પહેલી પસંદ જાહેર કર્યા છે. આ સિવાય 42 ટકા લોકો એવા છે જે કમલનાથને મુખ્યમંત્રી પદ પર જોવા માંગે છે. આ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયાને 10 ટકા લોકોએ તેમની પસંદગી આપી હતી જ્યારે માત્ર 2 ટકા લોકોએ દિગ્વિજય સિંહને તેમની પસંદ હોવાનું જણાવ્યું હતું. ત્રણ ટકા લોકો એવા છે કે જેમને આ ચાર નેતાઓમાંથી કોઈ પણ સીએમ તરીકે પસંદ નથી.
 
CM ચહેરાની પહેલી પસંદ
 
શિવરાજ - 43%
કમલનાથ- 42%
જ્યોતિરાદિત્ય  સિંધિયા-10%
દિગ્વિજયસિંહ- 2%
અન્ય - 3%  


ઓપિનિયન પોલ મધ્યપ્રદેશ



  • કુલ બેઠક 230

  • બહુમતી 116

  • કોંગ્રેસ    113-125

  • BJP         104-116

  • BSP        0-2

  • અન્ય    0-3

  • સ્ત્રોત-C વોટર  


કયા રાજ્યમાં કોની બનશે સરકાર ?


પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પછી, CVoter એ એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ હાથ ધર્યો હતો.  abp અસ્મિતા-સી વોટરનો ઓપિનિયન પોલમાં રાજસ્થાનમાં ભાજપની સરકાર બનવાનું અનુમાન છે. રાજસ્થાનમાં ભાજપને 127થી 137 બેઠકો મળવાનું અનુમાન છે. રાજસ્થાનમાં કોંગ્રેસને મોટું નુકસાન થવાનું અનુમાન છે. રાજસ્થાનમાં કોંગ્રેસને 59થી 69 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને 113થી 125 બેઠકો, ભાજપને 104થી 106 બેઠકો અને બીએસપીને 2 બેઠકો મળવાનું અનુમાન છે. છત્તીસગઢમાં ફરી કોંગ્રેસની સરકાર બનવાનું અનુમાન છે. કોંગ્રેસને 45થી 51 બેઠકો મળવાનું અનુમાન છે. છત્તીસગઢમાં ભાજપના પ્રદર્શનમાં જબરદસ્ત સુધારો થઈ શકે છે. છત્તીસગઢમાં ભાજપને 39થી 45 બેઠકો મળવાનું અનુમાન છે. તેલંગાણાના ઓપિનિયન પોલ મુજબ કોંગ્રેસને 48 થી 60 બેઠકો મળવાનો અંદાજ છે, ભાજપને 5 થી 11 બેઠક મળી શકે છે. જ્યારે બીઆરએસને 43-55 સીટ મળી શકે છે. મિઝોરમના ઓપિનિયન પોલમાં એમએનએફને 13-17, કોંગ્રેસને 10 થી 14 બેઠક મળવાનો અંદાજ છે.


 


(નોંધ- મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. સી વોટરે એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કરાવ્યો છે. તેમાં લગભગ 90 હજાર લોકો સાથે વાત કરવામાં આવી છે. આ સર્વે 1 સપ્ટેમ્બરથી  8 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવ્યો છે. સર્વેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.)